SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પત્ર દશમે. - -- --- - GE. પ્રિય પુત્ર, બને તેટલી કરકસર કરવાની ટેવ પાડજે. સંસા. - પૂ રની કેટલીક પ્રતિકૂળતાઓ માત્ર દ્રવ્યથી જ દૂર થઈ શકે પરિ છે, માટે દ્રવ્યનો દુરૂપયોગ કરતાં અટકળે, એ મારી તSઈ છે અને ખાસ સલાહ છે. દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે મનુષ્યને કેટલી હાડમારીઓ વેઠવી પડે છે ? કેટલાં બધાં મનુષ્ય દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પોતાના સગાં-સંબંધીએના નેહપાશને તોડી દેશ-વિદેશમાં ભમે છે? તેને ખ્યાલ કરજે. કરકસર કરીને જે ડું ઘણું દ્રવ્ય બચાવ્યું હોય છે તે જ સંસારના લેભી–લાલચુ મનુષ્ય આપણને લેખામાં ગણે છે, અને નહીંતર આપણું ગમે તેવી મુશ્કેલી વખતે કેઈ કામ આવતું નથી. જ્હોટે ભાગે સંસારમાં સૈ કે ધનના જ સગા હોય છે. આ ઉપરથી હું એમ નથી કહેવા માંગતો કે ગમે તે પ્રકારે–અર્થાત્ લુચ્ચાઈથી કે કૂડકપટથી કેવળ માત્ર દ્રવ્યનો જ સંગ્રહ કરે ! પરંતુ મારે કહેવાનો આશય એટલો જ છે કે ન્યાયથી જેટલું દ્રવ્ય આપણને પ્રાપ્ત થયું હોય તેને કઈ પણ પ્રકારે દુરૂપયોગ થવા દેવો નહીં. કરકસર એ દ્રપાર્જનને એક ઉત્તમ માર્ગ છે. કઈ પણ પ્રકારનું કષ્ટ સહ્યા વિના કે વિલાસ માણવાની અયોગ્ય ઈચ્છાઓને અંકુશમાં રાખ્યા વિના દ્રવ્યને સંચય થઈ શકતો નથી. દ્રવ્યહીન મનુષ્યને કોઈ ભાવ પણ પૂછતું નથી. મિત્રો પણ તે વખતે દૂર ચાલ્યા જાય છે, અને અંધારી રાત્રીએ દીવા સિવાય આપણું સુખદુઃખમાં ભાગ લેનાર કેઈ રહેતું નથી. નિર્ધન માણસને કેઈ આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005383
Book TitlePitano Putra Pratye Updesh
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1973
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy