SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ મા છે, તે એ છે કે ઘણાંખરાં મનુષ્યો ધારે છે તેમ પ્રતિદિન મિષ્ટ અને પુષ્ટ ખોરાકની જરૂર નથી. જે કોઈ માણસ હમેશાં મિષ્ટ અને મારે ખોરાક આહારમાં લીધા કરે તે તેને અજીર્ણનું દર્દ થયા વિના રહે નહીં. તેવી જ રીતે પિષાકમાં પણ એવા વસ્ત્રો વાપરવા જોઈએ કે જેથી શરીર ઢંકાય અને ટાઢ-તડકાથી આપણું સંરક્ષણ કાય. શરીરને શણગારવાની કે કીમતી વસ્ત્રોથી આચ્છાદિત કરવાની બીલકુલ જરૂર નથી. મકાન પણ એવું જોઈએ કે જેથી શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં આપણે શાંતિપૂર્વક–આરેગ્યતા પૂર્વક કરી શકીએ. બહુ મહેટા મહેલો અને પ્રાસાની જરૂર નથી. એક મનુષ્યની પાસે પુષ્કળ ધનસંપત્તિ હોય, પણ જે તેનું ચિત્ત પ્રસન્ન રહેતું ન હોય તો તે સુખી જીવન ગાળી શકતું નથી. જે મનુષ્ય પોતાના મનુષ્ય-બંધુઓ સાથે લક્ષ્યા કરે, તેમને સતાવ્યા કરે, અને દુઃખ આપ્યા કરે તે મનુષ્ય કદાપિ આનંદમાં રહી શકે નહીં. તેમજ બીજાઓ પણ તેને જોઈને પ્રસન્નતા અનુભવી શક્યા નથી. આપણું પિતાનું ચિત્ત પ્રસન્નતામહોય, અને આપણા મનમાં સર્વને સુખી કરવાની ભાવનાઓ વર્તાતી હોય તે આપણાથી સે કઈ પ્રસન્ન રહે, એટલું જ નહીં પણ આપણે પોતે પણ પ્રસન્નતામાં રહી શકીએ. સર્વનું કલ્યાણ ઈચ્છવું, સર્વનું મંગળ ઈચ્છવું, એજ સ્વ-પરના કલ્યાણને અને ઉન્નતિને મહામાર્ગ છે. આટલા ઉપરથી તમે સમજી શકયા હશે કે આપણું જીવનને આનંદપૂર્વક વ્યતીત કરવામાં જેટલી ધનની આવશ્યકતા નથી, તેટલી મનની શુદ્ધતાની આવશ્યકતા છે. મનની શુદ્ધતા હોય તે જ મનુષ્ય પ્રસન્નતામાં રહી શકે છે. એટલા માટે પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક ક્ષણે પિતાના મનને શુદ્ધ અને પવિત્ર કરવાનો પ્રયત્ન ચાલુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005383
Book TitlePitano Putra Pratye Updesh
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1973
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy