SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પડ્યા તે માટે પરમાત્માની સ્તુતિ કરો, અને વિદ્યાના અધ્યયનમાં તલ્લીનપણે ચિત્તને ચેાજી ઘેા. સુખ-શાંતિ-કીર્ત્તિ તથા પરમાનંદને માટે જો તમે આશા રાખતા હૈ। તા સમજો કે વિદ્યા વિના સુખશાંતિના એક નજીવા અંશ પ્રાપ્ત કરવા એ પણુ અસંભવિત છે તમારા પૂના પુણ્યબળે તમને તમામ પ્રકારની સગવડતા મળી ગઈ છે તે માટે સર્વદા પરમ શાંતિ અને ઉત્સાહથી ઉદ્યમ કરો. કાઇ રીતે કદાપિ નિરાશ મની કંટાળી જશે નહીં. ઉત્સાહી ખના. ગભરાઈને લમણે હાથ મૂકી બેસી રહેવું એ કાયર પુરૂષાનું લક્ષણ હાય છે. તમે કાયર નથી, પણ પુરૂષાથી છે, એ વાતની સ`ને ખાત્રી કરી આપો. સદા સાહસ અને હિંમતપૂર્વક કાર્ય કરા. સાહસી અને પરિશ્રમી મનુષ્ય પાસે કાઇ પણ પ્રકારની આફત કે વિપત્તિ ટકી શકતી નથી. પ્રત્યેક કાર્ય માં ધીરતા તથા દઢતાની પ્રથમ જરૂર પડે છે. કદાચિત્ તમારા કાર્યમાં કાંઇ કટક કે વિગ્ન જેવું તમને જણાય તે તેને કશુ મહત્ત્વ આપવાને બદલે તુચ્છકારી કાઢો. જે માર્ગ તમે ખરાખર વિચાર અને વિવેકપૂર્વક ગ્રહણ કર્યા હાય તેજ માગે ખરાખર ચાલ્યા જજો. કાઇની ખાટી મીક રાખશે। નહીં. કાઇ રીતે ગભરાશે! નહીં. આપણે મા'માં ચાલીએ છીએ તે વખતે આપણા પગ તળે અનેક કાંકરા તથા પથરાએ ચગદાય છે, પણ તે તરક્ આપણે ખીલકુલ લક્ષ નહીં આપતા સીધા ચાલ્યા જઈએ છીએ, તેજ પ્રમાણે તમે પણ વિશ્ર્વ કે કંટકની દરકાર કર્યા વિના સીધા માગે નિશ્ચિતપણે નિ યતાપૂર્ણાંક ચાલ્યા જાઓ. નિર્ભીય અને નિશ્ચિ ંત મનુષ્ય પોતાના લક્ષ્ય સ્થળે સાથી પ્રથમ પહોંચી જાય છે. જો કેાઇખાટી રીતે ડરવાની તથા ગભરાઇ જવાની ખાટી આદત તમને પડી જશે તેા તમારા ઉન્નતિના માર્ગમાં તમે ખડું આગળ વધી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005383
Book TitlePitano Putra Pratye Updesh
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1973
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy