SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં સિહ સમાન થશે. મદન પાસે આદિ શબ્દ મૂક્યો છે, તે ઉપરથી ક્રોધ, માન, મદ, મોહ, લોભ આદિ અંતરંગ વૈરીઓનો પણ પરાભવ કરશે એમ સમજી લેવાનું છે. વસ્તુતઃ જ્યાંસુધી કોઈ પણ મનુષ્ય પોતાના અંતરંગ શત્રુઓ ઉપર અધિકાર જમાવી શકે નહીં, ત્યાંસુધી તે સાચો ધર્મ પામી શકે નહીં. સારાંશ કે જેઓ અંતરંગ શત્રુઓરૂપી ગજવર પ્રતિ કેસરીસિંહ સમાન થઈ શકે છે અને અંતર-બાહ્ય શત્રુઓના બળને નિર્મળ કરી શકે છે તે જ પુરૂષવરો યથાર્થ ધર્મને સાથી બની શકે છે, એમ કહેવાનો પણ આ કાવ્યકર્તાને આશય છે. સિંહ એ જંગલનો રાજા કહેવાય છે. તે વનોમાં અને ઉપવનોમાં નિર્ભય રીતે વિહરી શકે છે, કારણ કે તેને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. મનુષ્યોએ પણ ધર્મના માર્ગમાં નિરંતર સિંહની માફક નિર્ભયતાથી અને અડગતાથી વિચરવું જોઈએ, પણ આમ ક્યારે બની શકે? જે આપણે આપણા અંતરના તથા બહારના અરિઓને જીતી લઈ શકીએ, તો જ આપણે શાંતિ તથા નિર્ભયતાપૂર્વક ધર્મના માર્ગમાં આગળ વધી શકીએ. કામ, ક્રોધાદિ શત્રુઓનું પ્રાબલ્ય જ્યાં સુધી અંતરમાં વત્ય કરે છે, ત્યાં સુધી મનુષ્ય સર્વદા પરાધીન રહે છે. વંદન છે તે પરમાત્મસ્વરૂપ તીર્થકર ભગવાનને, કે જેઓએ પરિપુઓને હણવામાં કેસરી સમાન વિર્ય ફોરવી જગતના ઈતિહાસમાં દષ્ટાંત બેસાર્યું છે, અને જેમના પગલે ચાલી અનેક ભવ્ય જીવો મુક્તિનો માર્ગ પામ્યા છે, તથા ભવિષ્યમાં પણ પામશે. હે પ્રભુ! હે અનંત દયામય ભગવાન! અમે પણ આપની માફક અમારા શત્રુઓરૂપી હાથીઓને હણવામાં ક્યારે સિંહ સમાન બની શકીશું? અને આપની માતાજીને આવેલ સ્વમ અમે ક્યારે સાર્થક કરી શકીશું? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005381
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy