SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૧ - I.. ઉ છે. પર્વતશ્રેષ્ઠ સર્વ તીર્થમ મહાતીર્થ છે એટલે એ સાંપ્રતકાળે અમારા પણ અભિષ્ટસિદ્ધિ કારણે તે છે થશે એવો વિચાર કરીને તે પાંચે પાડવો તત્ક્ષણ તે પર્વતપ્રત્યે આરોહણ કરતા હતા. કારણ કે - દુખે કરીને સાથે એવા પણ પોતાના કાર્યભાગને માટે સત્પરૂષ મંદપણુ કરતા નથી. ત્યારપછી તે પાંડવો તે પર્વતના શિખરનવિષે આરાધનાવિધિને કરીને ધર્મઘોષમુનિના પાર્શ્વભાગને વિષે અનશનક્રિયાને સ્વીકાર કરતા હવા. પછી જગતને વિષે રહેનારા સર્વ જીવોને જાત્મતુલ્યપણે અવલોકન કરનાર, અને સામ્યરૂપ અમૃતનો જે સમુદ-તેને વિષે જે નિમગ્ન-તેણે કરીને અત્યંત શાંત એવા અંતઃકરણને ધારણ કરનારા, અને ધ્યાન સમાધિ, બંધ પ્રબંધ એની મૈત્રીએ કરી મધુર એવી ) છે. સ્થિરબુધિને ધારણ કરનારા, અને મોક્ષમંદિરની આરોહણ કરવાની નિશ્રેણી જ જાણે હોયના! એવી ક્ષપકશ્રેણીને આશ્રય કરનારા, અને જેઓનું મોટું તેજછે એવા, અને સર્વ ક્રિયામ કુશળપણાએ કરી જેનું ચિત્ત શેભનારું છે એવા જે ધર્મઘોષમુનિતેણે અનુગ્રહ કરેલા તે પાંડવો અનુક્રમે જે વિષે લોકચૈ ક્રીડા કરી છે એવા કેવળજ્ઞાનને પામતા હવા. ત્યારપછી દેવ, મનુષ્ય અને અસુર-ઈત્યાદિકો નેવિશુદ્ધ એવા ઊત્તમ ધર્મનો ઉપદેશ કરીને એક મુહર્તમાત્ર દશમયોગને સેવન કરનાર એવા તે પાંડવો, અગિગુણસ્થાનનવિષે ક્ષણમાત્ર વિશ્રાંતિ લઈને અક્ષય સૌખ્ય (ાં એવા મુક્તિપદપ્રત્યે ધર્મઘોષમુનિ સહવર્તમાન પામતા હવા. ત્યારપછી તે પાંડવોના માર્ગના ) અનુલ કરીને ગમન કરનારી, અને નિર્મળ એવું જે અનશન કર્મ-તેણે કરીને પવિત્ર એવી ‘પદરાજાની કન્યા જે દોપદી, તેપણ જેનેવિષે અતુલ સંપત્તિ છે એવા બ્રહ્મદેવલોકપ્રત્યે ગમન કરતી હવી. ત્યારપછી સંપૂર્ણ દેવો. કલ્પવૃક્ષોનાં કાએ કરીને તે પાંડવોના દેહના વિદ્યક્ત એવા અગ્નિસંસ્કારને કરી જગતના મનોરથ પૂર્ણ કરનારા તે પર્વતના શિખરને વિષે નત્ય કરનારીઓ જે દેવાંગનાઓ-તેઓનું ગાયનનવિષે છે, એવા પાંડવોના નિવણ મહિમાના મહોત્સાહને કરતા હવા. शार्दूलविक्रीडित वृत्त. इत्येतकिल पांडवेयचरितं पर्याप्तमेतस्य तु ॥ ब्रूमः किं महिमानमन्वहमापव्याख्येयमस्मै नमः ॥ यस्यैककमऽलंधितान्यचरितारण्यापिविद्वद्गवी ॥ श्राम्यंतीव पदे पदे च न परां सीमानमालंबते ॥ २७५ ॥ વ્યાખ્યા–એ પ્રકારનું એ પાંડવોનું ચરિત્ર સમાપ્ત થયું. એના મહિમાને અમે વિશેષ 4. શું વર્ણન કરીએ? પ્રતિદિવસે પણ વ્યાખ્યાન કરવા માટે યોગ્ય એવા આ ચરિત્રને માટે કેવળ ન કોડ 9) મસ્કાર થાઓ. વિદજજનની વાણીરૂપ ધેન પોતાના એક પગલાએ કરી અન્ય ચરિત્રરૂપ અ- Cછે ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy