SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૩ ભરજી છે. દીક્ષા ગ્રહણ કરડ્યા પછી પણ તેઓએ દુષ્ટ કર્મોના સમુદાયને જીતવા માટે ઈચ્છા ધારણ કરી. તેને ત્યારપછી ભીમસેન મુનિ તો એવા અભિગ્રહને ગ્રહણ કરતો હશે કે, કુંત જે શસ્ત્રવિશેષ તેના અગ્રભાગ ઉપર રહેનારા અન્ન માત્રને ગ્રહણ કરતો હતો, પણ તેથી વધારે આહારદિકનું ગ્રહણ કરતો ન હો. એવો તે પુણ્યાત્મા ભીમસેનનો અભિગ્રહ છમહીને કરીને પૂર્ણતાને પામતે હવો. કારણ કે સર્વે કરીને જેનું ચિત્ત શુદ્ધ થયું છે, એવા પુરૂષને કોઈપણ કૃત્ય અસાધ્ય નથી. છે. (!' એ પ્રમાણે કરીને મોટા અભિગ્રહ દસ્તર એવા તપને કરનારા, અને કર્મસમુદાયને નિરંતર છે લઘુપણુપ્રત્યે પમાડનારા, અને પ્રત્યેક સ્થાનને વિષે, પ્રત્યેક ગ્રામવિષે, પ્રત્યેક માનવિષે અને ) પ્રત્યેક અરણ્યને વિષે નાના પ્રકારનાં ધર્મમય એવાં વચનોએ કરીને સર્વજન પ્રત્યે ઉપકાર કરનારા, જ અને સ્વકીય એટલે પોતાના દેહવિષે નિરિચ્છ, અને નિરંતર વિહારશીલ-એવા તે પાંડવોનાં રે ઘણાં વર્ષનીકળી જતાં હતાં. ત્યારપછી અનિયતવાસવિહાર કરીને પૃથ્વીતળને વિષે વિહાર કરનારા તે પાંડવ કોઈએક કાળે એક મોટા પર્વતના સમીપભાગની ભૂમિપ્રત્યે ગમન કરતા હતા. ત્યહાં તેજ પર્વતની આસપાસની ભૂમિસંબંધી અરણ્યવિષે પ્રાપ્ત થએલા ધર્મઘોષમુનિને લોકોના મુખથી શ્રવણ કરીને હર્ષયુક્ત હોતા થકા તે મુનિને વંદન કરવા માટે તેની પાસે ગમન કરતા છે. હવા. અને દાક્ષાપાક કરતાં પણ અત્યંત મધુર એવી વાણીએ નિર્મળ એવા ધર્મને તિર્યંચ, મનુષ્ય, છે અને દેવ-એઓ પ્રત્યે ઉપદેશ કરનારા તે મુનિને અવલોકન કરતા હવા. તે સમયે દૂરથી આ છે વનાર તે પાંડવોને અવલોકન કરી તે ધર્માષ ગુરૂ પણ મોટા સંભ્રમે કરીને આસનથી ઊીને વF હર્ષયુક્ત, અને પ્રેમ કરી તરંગિત હોતા થકા તે પાંડવોને સામે જતા હતા. તે સમયે આનંદા- 2 શ્રનાં બિંદુઓએ કરી જેઓની પાંપણો વ્યાપ્ત છે, અને શરીર ઉપર રોમહર્ષ ધારણ કરનાર તે પાંડવો તે મુનિના ચરણકમળ ઉપર મસ્તક મૂકીને વંદન કરતા હતા. ત્યારપછી તે ગુરૂ તે પાંડવોને હસ્તવિષે ગ્રહણ કરી તેઓને ઉઠાડીને ગાલ અને નેત્ર જેનાં હર્ષયુક્ત છે એવો હોતો આ થક પ્રીતિએ કરી ગઢ એવી વાએ સ્વાગત પ્રશ્ન કરતો હશે. પછી તે ગુરૂ ફરી આસન ) ઉપર બેઠો છતાં પર્ષદાના દેવ, મનુષ્ય અને તિર્યંચ એએએ વંદન કરેલા તે પાંડવો તે ગુરુના સમીપભાગનેવિશે ભૂમિ ઉપર બેસતા હવા. ત્યારપછી તે મુનિ, સર્વે સભાસદોના પુણ્યસંપાદનરૂપ હિતને માટે તે પાંડવોના તપની પ્રૌઢીનું વિશેષ કરીને વર્ણન કરી દેશનાને કહેતો હો. ત્યારપછી કલ્યાણકારક એવી તે દેશનાના શ્રવણે કરીને આનંદયુક્ત એવા સર્વ જન, તે ધર્મઘોષ S ગુરૂને અને તે પાંડવોને વંદન કરીને પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા. ( ત્યારપછી જેઓનાં ચિત્ત અત્યંત વિસ્મયયુકત છે, એવા તે પાંડવો તે ગુરૂપ્રત્યે ભાષણ ઈિ કરતા હતા કે હું અને આ વનમણે અરણ્યસંબંધી સ્વભાવે દૂર એવા પધાદિક છે, પણ શમ છે. ૧૪૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy