SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૫ છે અને કાલ-એણે કરી અતિ દૂર પણ હોનારો કોઈપણ પ્રકાર અગોચર નથી. એ માટે વનમળે વૃક્ષના અધભાગવિષે ઉધનારા જે વનમાલી શ્રીકૃષ્ણ, તેમને જે રીતિએ મત્યુ પ્રાપ્ત થયું, તે પ્રકાર તે જરાકુમારે પોતે અમેને કહ્યું, પરંતુ તે શ્રીકૃષ્ણને માટે જળ આણવા સારું તે સમયે આ ગએલા જે બળરામ, તેમની શી વાત થઈ તે પ્રકાર સાંભળવા માટે અમે ઈચ્છા કરીએ છે. તો એ માટે હે સ્વામિન! તે વાર્તા અમોને કહેવા માટે તમે યોગ્ય છે. એવું ધર્મરાજનું ભાષણ સાંભળીને જેનું જ્ઞાન અતિછે એવા તે ધર્મઘોષમુનીશ્વર ભાષણ ! (D કરતા હતા કે, “હે રાજન, બળરામ પાણી લઈને શ્રીકૃષ્ણની પાસે આવ્યા, અને તે શ્રીકૃષ્ણપ્રત્યે !) છે, એવું ભાષણ કરતા હવા કે “હે ભ્રાત! તું ઉતાવળો ઉઠ ઉ. આ ઘણું સારું અને સુગંધયુક્ત જ રે એવું શીતળ પાણી આપ્યું છે, એ માટે મહાત્વરાએ તું તારા મુખનું પ્રક્ષાલન કરી યથેચ્છપણે જ જલપ્રાશન કર. અને દૂર અરયવિષે થએલો જે સંચાર-તેણે કરી ઉત્પન્ન થએલો જે શ્રમ, તેની વિશ્રાંતિ કર.” એવું ભાષણ કરચું છતાં પણ શ્રીકૃષ્ણ કાંઈ ન બોલ્યા છતાં ફરી તે બળરામ ભાષણ કરતા હતા કે, “હે અરિષ્ટા! તું મને પાણી આણવા માટે ઘણો વિલંબ લાગ્યો એ માટે રીશાય છે કે ? તો હે કણ! એ રોષ સાંપ્રતકાળે તને અયોગ્ય છે અને પ્રસન્ન થવું અને ( જળપાન કરવું એજ યોગ્ય છે. હે કૃષ્ણ સાંપ્રતકાળે મારો કાંઈ અપરાધ નથી. દૂરદેશને વિષે ઉદકની (1) ( પ્રાપ્તિ થઈ એ માટે વિલંબ લાગ્યો. તે તે દૂર દેશનવિષે થએલી ઉદયપ્રાપ્તિનોજ આ અપરાધ છે. તો એ પ્રમાણે કરી બળભદે ભાષણ કરવું છતાં પણ શ્રીકૃષ્ણ કાંઈ ન બોલ્યા છતાં તે બળ- ૧ ભદ્ર પોતાના મનમાં એવું ચિંતન કરવા લાગ્યા કે, “દરમાગને વિષે ગમન કરી શ્રમ પામેલો આ શ્રીકૃષ્ણ ઉંધ્યો છેએ માટે ગાઢ નિદા આવવાથી કાંઈ ભાષણ કરતો નથી.' એવો વિચાર કરી તે સ્તબ્ધ રહ્યા. એટલામાં શ્રીકૃષ્ણની આસપાસ ભ્રમણ કરનારી લીલી માખોને જોઈને “એ શું દુખિન્ડ છે? એવું જાણીને શ્રીકૃષ્ણના અંગપરનું ઓઢવાનું વસ્ત્ર તે દૂર કરતા હતા. ત્યારપછી છેતે બળામ, કંસવિÉસી એવા તે શ્રીકૃષ્ણને ગતપ્રાણ એ જોતા હવા. અને તેના ચરણપદ્ધ- (૯ ( વનવિષે રકતકરી ભયંકર એવા બાણે પડેલા ઘાવને જોતા હવા. ત્યારપછી તે બળભદ મોટા (T લ, કોપના આવેશે કરીને ઉંચેસ્વરે સિંહનાદ કરતા હવા; જે સિંહનાદે કરીને તે અરણ્યસંબંધી , સંપૂર્ણ વ્યાપદો ભય પામતાં હવાં, અને પૃથ્વી કંપાયમાન થતી હતી. પછી તે બળભદ્ર એવું : ભાષણ કરતા હવા કે “અહો! મદાંધ અને પાતકી એ એ કોણ પુરૂષ છે? કે જેણે નિદા પા- ) મેલો અને મહાપરાક્રમી એવો જે મારા બંધુ-તેનો વધ કર્યો ! ઉંધેલો પુરૂષ, મઘાદિકના પ્રાશને કરીને મત્ત, ગાંડો, બાળ, ગ્રી, મુનિ અને ગાય-એઓને વિષે, જેનું ક્રરકમ છે એવો જે ચાંડાળતેજ પ્રહાર કરે, સુજ્ઞપુરુષ કોઈપણ પ્રહાર કરનાર નહીં એવું છતાં કોઈને જો બાહુદર્પ હોય છે. - - ૧૪૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy