SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ અથ સંસદશ સર્ગ પ્રારંભ ત્યારપછી હસ્તિનાપુરનું જે સામ્રાજ્ય. એજ જાણે કમળવન-તેને વિષે ક્રીડા કરનાર રાજહંસરૂપી પાંડવો, ઘણા દિવસેને અતિક્રમણ કરતા હતા. તેઓમાં ઉત્તમ આચરણ કરેલો જે ન્યાય-એજ કોઈએક ચિંતામણી, તેનાંથી પ્રાપ્ત થનારા જે અર્થ અને કામ-તેઓ માટે પાંડવોએ કોઈપણ પ્રયત્ન કરો નહીં. તો તે પાંડવો, મીશ્વરભગવાનની વાણીને સ્મરણ કરતા થકા કલ્પવૃક્ષને પણ જીતનાર એવા ધર્મને માટે જ ઘણે પ્રકારે કરી નિરંતર યત્ન કરતા હવા. તે પાંડવો ( ધર્મરૂપ વૃક્ષને ન્યાયરૂપ ઉદકે નિરંતર એવું સિંચન કરતા હતા કે, જે સિંચને કરી વૃદ્ધિ પામેલા ધર્મવૃક્ષની છાયાએ આ સર્વ ભૂમંડળ છાયાયુક્ત થયું. તે પાંડવો નાના પ્રકારના આચરણોએ કરી છે 5 ધર્મરૂપ શાલિક્ષેત્રને વદ્ધિ પમાડતા હવા. તે સમયે તે ક્ષેત્રનેવિષે કામ અને અર્થ-એ તે ક્ષેત્રમાં ર રહેનારા તામરસ કમળો સરખા જ્યાં ત્યાં સહેજ શોભવા લાગ્યા. અને તે પાંડવો, પ્રતિદિવસે જિનધર્મના નવા નવા પ્રકારોને વિસ્તાર કરતા થકા પોતાના સર્વ રાજ્યને વિષે “એકછત્ર ધારણ કરનારો અહંતધર્મજ છે એવું સૂચવતા હવા. ત્યારપછી તે પાંડવો કોઈએક સમયનેવિષે, સર્વ જગતને આનંદ ઉત્પન્ન કરનારા જે મીશ્વરપ્રભુ-તેના આગમનને મહા પ્રીતિએ, મયૂર જેમ | મેઘપ્રાપ્તિની ઈચ્છા કરે છે તેમ ઈચ્છા કરતા હવા. બીજે દિવસે મીશ્વર ભગવાન પણ તે પાંડવોની મનોવૃત્તિને કેવળજ્ઞાને કરી જાણીને છે. અનુક્રમે સર્વ ભૂમિપ્રત્યે વિહાર કરતા થકા તે હસ્તિનાપુરની પાસે પ્રાપ્ત થતા હવા. તે સમયે ) છે તે મીશ્વર ભગવાનની સાથે ગમન કરનારા સંતુષ્ટ ચિત્ત એવા વાયુકુમાર નામક જે દેવતા તે, જ SE હસ્તિનાપુરના બાહ્યો પવનસંબંધી ભૂમિનેવિશે એક જોજન વિસ્તારયુક્ત એવા, સમવસરણને છે? ઉત્પન્ન કરતા હતા. તે સમવસરણને પોતાના પવિત્ર એવા પુણ્યબીજને વાવવાની ઈચ્છા કરનારાજ જણે હોયના! એવા જે મેધકુમારદેવો તે, મોટા હર્ષકરી સુગંધયુક્ત એવા ઉદકવડે સિંચન કરતા હવા. તે સમયે વ્યંતર નામક દેવો, પોતાના કર્મબંધનો નાશ કરવા માટે તે સમ( વસરણસંબંધી સંપૂર્ણ ભૂતળને રત્નશિલાઓએ કરી બંધન કરતા હવા; અને તે સ્થળે જેણે છે રત્નકાંતિએ આકાશ પ્રકાશયુકત કરવું છે, અને વિજ તથા છત્ર-એઓએ કરી અલંકૃત એવાં ચાર તેરણને ચારે દિશાનેવિષે બંધન કરતા હવા. તે સમવસરણવિષે અંતર્ભાગે વૈમાનિક દેવ હિંગુલ વાર નામક રત્નોની છાવણી-નામિષે કરીને મહાકાંતિની વાળાએ વ્યાપ્ત એવા રત્નમય પ્રાકારને નિર્માણ કરતા હતા. ત્યારપછી જ્યોતીવર દેવો, સુખકારક અને માણિક્યમય છાવણીએયુકત એવા સુવર્ણમય મધ્યમ પ્રકારનું નિર્માણ કરતા હવા. ત્યારપછી ભુવનાધિપ જે ઈંદો તેઓ એક ઠેકાણે જમાવ થએલા ચંદકાંતિના તરંગેએજ જાણે નિર્માણ કરચા હોયના! એવા રોપ્યમય બાહ્યપ્રાકારને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy