SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રાવકનું કર્તવ્ય. - - - - રાત્રીના પાછલા પહોરે ચાર ઘડી બાકી રહે ત્યારે બ્રહ્મ મુહૂતમાં નવકાર મંત્રનું સ્મરણ કરતાં શ્રાવકે જાગ્રત થવું. પિતે કેણ છે, ક્યાં છે, કેટલો વખત થયે છે અને લઘુનીતિ કે વડીનીતિની શંકા છે કે નહીં એમ વિચાર કરતો શય્યામાં નિદ્રા રહિત થાય. નાસિકા બંધ કરીને શ્વાસોશ્વાસ દબાવવાથી નિદ્રા રહિત થવાય છે, માટે નિદ્રા રહિત થઈને કાંઈ પણ સ્વર કર્યા વગર ઝાડા પીશાન કરવાના સ્થળે જવું. શંકા રહિત થઈને મહા મંગળકારી નવકાર મંત્રનું સ્મરણ કરે. શય્યામાં બેઠા બેઠા નવકાર મંત્રનું સ્મરણ કરવું હોય તે સૂત્રને અવિનય દૂર કરવાને મનમાં ચિંતવન કરવું. ઓછામાં ઓછું જાગ્રત થતી વખતે સાત આઠ નવકાર મંત્રનું સ્મરણ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. વળી તે વખતે ધર્મજાગરિકા એટલે ધર્મ વિષેના વિ. ચારે કરવા પણ શ્રેષ્ઠ છે. હું કોણ છું, મારે શું કરવાનું છે, પાપી છું કે ધમો છું વગેરે વિચાર કરી ગ્ય નિયમથી વર્તવાને નિશ્ચય કરે. પછી જે પ્રતિકમણ બની શકે તે તે કરવું અને ન બનતું હોય તેપણ કુસ્વપ્ન દુઃસ્વપ્ન અમંગલિક હોવાથી એનું ફળ મિથ્યા કરવા માટે જાગ્રત થયા પછી ચાર લેગસ્સને કાર્યોત્સર્ગ કર. -- ----x - -- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy