SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કે “આ પુષ્પ જેવું સુંદર-શુદ્ધ અને પરાગવાળું છે, તેવું જ મારું મન પણ સુંદર શુદ્ધ અને ભાવસુગંધ વિશિષ્ટ છે. ” ચેથી ધૂપપૂજા કરતી વખતે એવી ભાવના વધી જોઈએ કે-“હે પ્રભુ! એરિમાં ધૂપ નાંખવાથી જેવી રીતે ધૂપ સળગે છે, અને તેને ધૂમાડે ઉંચે ઉચે ચાલ્યા જાય છે, તેવી જ રીતે મારા આત્માને લાગેલા કર્મરૂપ કાષ્ટનું દહન થાઓ, અને શુભ ભાવનારૂપી ધૂપ ધૂમાડાની પેઠે ઉંચે ચડે, અને મારો આત્મા પણ ઉચ્ચ સ્થાને અવસ્થિત હે.” પાંચમી દીપક પૂજા કરતી વખતે એવા ભાવ રહેવા જોઈએ કે “હે પ્રભુ! આ દીપક જેવી રીતે અંધકારને દૂર કરી સર્વત્ર પ્રકાશને ફેલાવે છે, તેવી જ રીતે મારા આત્મા ઉપર રહેલો કર્મરૂપી અંધકાર દૂર છે, અને મારે આત્મા દીપકની પેઠે પ્રકાશિત હૈ.” છઠ્ઠી અક્ષતપૂજા કરતી વખતે એવી ભાવના રહેવી જોઈએ કે-“હે પ્રભુ! ચાર ગતિઓમાંના મારા ભવભ્રમણને દૂર કરી મને એક એવું અક્ષત-અખંડ પદ પ્રાપ્ત થાઓ કે જેથી પુનઃ આ જન્મ-જરા મૃત્યુ વાળા સંસારમાં મને રઝળવું ન પડે.” સાતમી નૈવેદ્યપૂજા કરતી વખતે એવી ભાવના હોવી જોઈએ કે-“હે પ્રભુ! આપ જેકે નિર્વેદી અને અનાહારી છે તો પણ આપની સન્મુખ આ નૈવેદ્યની સામગ્રી મૂકી આપને એટલી જ પ્રાર્થના કરું છું કે મને પણ આ પ્રપંચમાંથી મુક્ત કરી આપના જેવું જ અનાહારી પરમાનંદમય પદ પ્રાપ્ત હે.” આઠમી ફળપૂજા કરતી વખતે પણ મનમાં એ ભાવપ્રવાહ વહે જોઈએ કે-“હે પ્રભુ ! આ ફળ આપના ચરણકમળમાં ધરી એટલું જ ઈચ્છું છું કે મને પણ આપના જેવું જ શિવપદરૂપી ફળ પ્રાપ્ત છે.” આ પ્રકારે સંક્ષિપ્ત દ્રવ્યપૂજાનો હેતુ આપે છે, તે ઉપરથી સતરભેદી, એકવીશ પ્રકારી, એકસો આઠ પ્રકારી તથા એકહજાર આઠ પ્રકારી પૂજાને હેતુ પણ કિંચિત્ અંશે સમજાશે. આવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy