SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૫૯ રાણું ગામ અજમેરથી રાણીગામ ૧૦૦ માઈલ થાય છે, સ્ટેશનથી થોડે છેટે ૧૨૫ માણસે સમાઈ શકે તેવી ધર્મશાળા તથા દહેરાસર છે. પંચતીર્થ ફરવા વાતે ગાડાઓ મલી શકે છે. અહીંથી ગાઉ ૧ વરકાણાજી જવું. વરકાણાજી. મોટી ધર્મશાળા તથા મોટા બે દહેરાસર છે, તેમાં શ્રી વરણુજી પાર્શ્વનાથના નામથી જગત પ્રસિદ્ધ દહેરાસર છે, જણસ ભાવ ભલી શકે છે. વળી એ દહેરાસરમાં ૧ શીલાલેખ ધાબા પર છે, પણ ઉકલતો નથી પિય વદ ૧૦ની અત્રે જાત્રા ભરાય છે. અહીંથી ગાઉ ૨ નાંદેલ જવું. નાંદેલ. દહેરાસર સાત તથા ધરમશાળા છે, જણસ ભાવ મલ છે. અહીંથી રાણી સ્ટેશન આઠ માઈલ થાય છે, અહીંથી ગાઉ બે નાંદલાઈ જવું. ' નાંદલાઈ. અહીંથી ગામને છેડે ૧૦૦ માણસે સમાઈ શકે એવડી ધર્મશાળા છે. ગામમાં નવ દહેરાસર તથા ગામની ભાગોળમાં બે છે. અને બાજુએ અડધા અડધા ગાઉને ચઢાવની ડુંગરની ટેકરીઓ છે, તેમાં એક સિદ્ધગિરિજીની અને એક બી ગીરનારની ટેકડી કહેવાય છે, તે બે ટેકરીઓ ઉપર બે દહેરાસરે છે, તે મળી અહીં અગીઆર દહેરાસરો છે, જણસ ભાવ મલે છે, અહીંથી ગાઉ ત્રણ ધાણેરા જવું. ધાણે. દહેરાસરે દશ તથા ધર્મશાળા છે, સર્વ ચીજ મળે છે. વળી અહીંઆ સુકવણી સારી લે છે. અહીંથી બે ગાઉ ઉપર જંગલમાં ડુંગરની સપાટી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005363
Book TitleTirth Varnan Bhaktimala
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1922
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy