SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી તીર્થ વન ભક્તિમાળા ગામમાં સીધુ સામાન મળે છે. પણ સારા જોયતા પ્રમાણમાં મલતા નથી. ધર્મશાળાથી ક્ષત્રીકુંડ નામના પહાડ શરૂ થાય છે. ક્ષત્રીકુંડ ધર્મશાળાયા એ માઈલ ઉપર એક કુંડ આવે છે, તેને ક્ષત્રીકુંડ કરી કહે છે. પાણી બારે માસ રહે છે, રસ્તે સીધા છે. અત્રે એક દહેરી છે જેમાં શ્રીમહાવીરસ્વામીની પ્રતિમાછ છે અને ચ્યવન કલ્યાણક છે, વળી થોડે છેટે બીજી એક દહેરી છે. તેમાં પણ શ્રીમહાવીરસ્વામીની પ્રતીમાંછ અને ત્યાં દિક્ષા કલ્યાણક છે. અહીંથી આગળ જતાં એ માલ સુધી સાધારણુ ઢાળ આવે છે, પછી પહાડ ઉપર ચઢવાનું શરૂ થાય છે, જ્યાં આગળ રસ્તા બાંધેલો નથી પરંતુ ખાલી પત્થરેાજ છે. આગળ ૩ માઇલને સીધા ઉંચા ચઢાવ આવે છે. ત્યાં આગળ શિખરબંધી દહેરાસરજીમાં પણ શ્રીમહાવીરસ્વામીની પ્રતિમાજી છે. પાસેજ પાણીના નાના નાના કુંડ છે. ધર્મશાળાથી અહીં સુધી આવતાં જતાં ૧૨ માઈલ જેટલા રસ્તે ગણાય છે. ડેલીએના રૂા. ૧-૯-૦ ના બાંધેલા ભાવ છે. વળી રસ્તા પહાડી અને ઘણી નહેર વાળા છે, જંગલી જાનવરની ધાસ્તી રહે છે, તેમ અજાણ્યાને ભુલાપડી જવાને સંભવ હાય છે, માટે સાથે માણસ રાખવું. સવડ કારખાનાવાળા તરફથી કરી આપવામાં આવે છે. પહાડ ઉપર બુટ સાથે જમ્મુ શકાય છે, તેમ ભાથુ પણ ઘણા લાક લઇ જાય છે. F આને તા. ૧૨ ને દીવસે સવારે કાકડીથી નીકલી સાંજરે લગભગ સુમારે લવાડ આવી પહેાંચ્યા તા. ૧૩ તથા તા. ૧૪ ના દીવસે રહી તા. ૧પ-૧-૨૧ તે દીવસે આગળ ન જતા લખેસરાઈ થઈ કીયુલ બપોરે ચારને સુમારે આવી પહોંચ્યા. લવાડથી સીધે કીયુલના રસ્તા ૨૦ માઇલ જેટલા થાય છે. પાછા વળવાનું ખાસ કારણ ફક્ત બળદ નબળા હતા તેમ ગાડીવાના પણ તેવાજ હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005363
Book TitleTirth Varnan Bhaktimala
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1922
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy