SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૬૧ ૩૭૫ કરવાની કંઈ જરૂર નથી મરૂદેવા માતા વિગેરેએ ક્યાં કંઈ ક્રિયા કરી હતી. આવી પ્રરૂપણા કરે છે. અને પોતાની જાતને આગમજ્ઞ અને સૂત્રધર આવા આવા પ્રકારના મોટાઈ વાચક શબ્દો લગાડે છે. મનમાં ફુલાય છે. હાલે છે. અને અજ્ઞાનતાથી તથા મોહથી ઉસૂત્ર પ્રરૂપણા કરવા દ્વારા સંસાર વધારે છે. તેવી જ રીતે જેઓને એકલો વ્યવહાર જ રૂચે છે તેઓ તીર્થકર ભગવંતો નિયમ મોક્ષે જવાના હોવા છતાં અને જાણતા હોવા છતાં તપ-જપ-ધ્યાન અને યથોચિત ક્રિયા કરીને જ કેવલી થયા છે. કોળીયા દ્વારા આહાર મુખમાં નાખ્યા વિના અને ચાવવાની ક્રિયા કર્યા વિના આહારના જ્ઞાનમાત્રથી પેટ ભરાતું નથી. આવાં ઉદાહરણો આપીને અને તે વાતને જ પોષક તેવા તેવા પાઠો લઈ આવે છે. માપતુષ મુનિની ઈલાયચીની અને ચિલાતીની કથા કરે છે અને જ્ઞાનની કંઈ જરૂર નથી. ક્રિયાથી જ મોક્ષ થાય છે આવી પ્રરૂપણા કરે છે. અને તેવી પ્રરૂપણા કરવા દ્વારા પોતાની જાતને આગમધર અને સૂત્રધર આવાં વિશેષણો લગાડીને ફૂલાય છે. પોતે પોતાના વિચાર પ્રમાણે કોઈ એક નયને જ પોષે, તેને અનુસરતા જ પાઠો લાવે તેનું જ વ્યાખ્યાન આપે અને સૂત્રધર, સર્વ આગમજ્ઞ જેવાં બિરૂદો લગાવે અને મનમાં ફૂલાય. આ સંસાર તરવાનો માર્ગ નથી. પણ ડુબવાનો જ માર્ગ છે. આમ એકાન્તદૃષ્ટિવાળા જ્ઞાનીઓ પોતાના વિચારોને પોષક અને વર્ધક સૂત્રપાઠોને વીણી વીણીને, કંઠસ્થ કરીને, ભોળી સભાસમક્ષ રજુ કરીને “અમે જ આગમના રહસ્યોને જાણનારા છીએ, અમે જ શાસ્ત્રપ્રમાણે પ્રરૂપણા કરનારા છીએ સકલારામરહસ્યવેદી, સકલશાસ્ત્રપારંગત. સર્વશાસ્ત્રવેત્તા, આદિ મનમાન્યાં વિશેષણો સંસ્કૃત ભાષાની પંડિતાઈ વડે લગાડી લગાડીને ફૂલાય છે. તેઓ એક બાજુની બદ્ધદષ્ટિવાળા હોવાથી બીજી બાજુના નયની વાતને જાણવા કે સાંભળવા જ તૈયાર ન હોવાથી તે બાજુનો વિષય ન જણાવાથી પરિપૂર્ણ એવું પંડિતપણાનું સામર્થ્ય તેઓમાં વિકાસ પામતું નથી, અલ્પાંશમાં જ પૂર્ણતા માનીને નિરર્થક માન વહન કરનારા બને છે અને તેથી જ આગમના જે સાપેક્ષપણાના ભાવાર્થો છે સાપેક્ષપણે રહસ્યાર્થો છે. તેના અજાણ રહીને માત્ર જેવા શબ્દો લખ્યા છે તેવા શબ્દસ્પર્શી જ જ્ઞાનવાળા બની જાય છે. એટલે કે તેઓ વાસ્તવિકપણે કંઈ જ જાણતા નથી. જે જે જીવોને જે જે નયવિચાર તરફ વધારે રૂચિ હોય તે નય તરફની તે રૂચિને પોતાના માટે પ્રધાન કરે અને અન્યનયના દૃષ્ટિબિંદુને ગૌણપણે પણ સાપેક્ષભાવે જો સ્વીકારે અને તેનો અપલાપ ન કરે તો જ તે નય સુનય કહેવાય છે. પરંતુ પોતાને ગમતા વિચારોને જ સ્વીકારે, તેને અનુસરતા જ પાઠો શોધી કાઢે, તેને જ કંઠસ્થ કરીને ભોળા શ્રોતાઓ સામે ગાયા કરે, તેનો જ એકાન્ત પક્ષ ખેંચે અને આગમજ્ઞ કે શાસ્ત્રજ્ઞનાં બિરૂદ ધરાવે, આવાં આવાં વિશેષણો પોતે લખે અને લખાવે તેને જોઈ જોઈને તે જીવો ઘણા રાજી થાય મનમાં મકાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy