SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૫૬-૫૭ ૩૬૫ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ હંમેશાં સામાન્યને ભારપૂર્વક વર્ણવે છે અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિ હંમેશાં વિશેષને ભારપૂર્વક વર્ણવે છે આ બન્ને નયોના એકાન્તવાદીઓ જ્યારે સામસામાં આવે છે અને સમાનબલપણે પોતપોતાના નયોની રજુઆત કરે છે (એકે નયને તે વાદીપ્રતિવાદીઓ ગૌણ-મુખ્ય ભાવે રજુ કરતા નથી.) પણ નિરપેક્ષપણે બન્ને નયો સામસામા આવે છે. ત્યારે લડવાડ-પરસ્પર કલેશ અને ઝઘડા સિવાય બીજું કશું જ હોતું નથી. તેથી નિરપેક્ષપણે રજુ કરાયેલા આ બન્ને નયો વિભજન વાદનું = અનેકાન્તવાદનું વધારે વધારે ઉલ્લંઘન કરે છે. (હાર્દિક અંતર અર્થાત્ એકાન્ત આગ્રહ વાળું કથન) વધતું જ જાય છે આ પ્રમાણે એક બીજાનો જે વાદ છે તે માંહોમાંહે લડીને અસહ્વાદ કરે છે. તેથી એકાન્તાગ્રહ વાળી દૃષ્ટિ સદા પરાભવકારી છે. મિથ્યા છે. અને અનેકાન્તવાદવાળી દ્રષ્ટિ જાણે અમૃતથી સિંચાયેલી હોય તેવી ઉપકાર કરનારી છે. આત્મકલ્યાણ કરનારી છે. તેવી તે દૃષ્ટિ જે વિજયવંત છે. ટીકાનો પાઠ - દ્રવ્યાતિય વચ્ચે = વીધ્યમ, વિશેષનિરપેક્ષત્ સામાન્ય માત્રામ, पर्यायास्तिकस्य पुनः अनुस्यूताकारविविक्तो विशेष एव वाच्यः । एतौ च सामान्यविशेषौ अन्योन्यनिरपेक्षौ एकैकरूपतया परस्परप्राधान्येन वा एकत्र उपनीतौ = प्रदर्शितौ विभज्यवादम् = अनेकान्तवादं सत्यवादस्वरूपमतिशयाते - असत्यरूपतया ततः तौ अतिशयं लभेते इति થાવત્ | ટીકામાં “સમોવલીયા અને વિમઝવર્થ આ બન્ને પદોના જુદા જુદા બે બે અર્થો કર્યા છે. પ્રથમ અર્થ એવો કર્યો છે કે સમાનબલવાળાપણે રજુ કરાયેલા એટલે પરસ્પર એકાન્ત નિરપેક્ષપણે રજુ કરાયેલા આ બન્ને નયો વિભજ્યવાદનુએટલે કે વ્યવસ્થિપણે વિભાગ કરીને વસ્તુ સ્વરૂપને કહેનારા એવા અનેકાન્તવાદનું ઉલ્લંઘન કરે છે. સત્યસ્વરૂપે રહેલા એવા અનેકાન્તવાદનું અસત્યસ્વરૂપે બનેલા આ બન્ને નયો ઉલ્લંઘન કરે છે. બીજો અર્થ એવો કર્યો છે કે “સમોવીયા'' સમ્યક્ઝકારે અર્થાત્ “સ્યાસ્પદપૂર્વક” પરસ્પર સાપેક્ષતા પૂર્વક રજુ કરાયેલા આ બન્ને નયો વિભજ્યવાદને એટલે એકાન્તવાદને (પોતપોતાના વિષયની એકાન્ત વિભાગ કરીને જ કહેનારા એવા એકાન્તવાદને) દૂર કરે છે. અનેકાન્તવાદ સમજાવવા દ્વારા એકાન્તવાદનું ખંડન કરે છે. ટીકાનો પાઠ આ પ્રમાણે છે - મત મુવ થાપર્ધન પતી = સાચવશેષો समुपनीतौ परस्परव्यपेक्षतया "स्यात्" पदप्रयोगतो धर्मिणि अवस्थापितौ विभज्यवादम् = ન્તિવાહિં વિશેષતિઃ = નિરરુતિઃ | પ૬-૧૭ | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy