SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૫૧-૫૨ नत्थि पुढवीविसिट्ठो, “घडोत्ति" जं तेण जुज्जइ अणण्णो । i , “ઘ' ત્તિ બં, યાસિ પુઢવી તો માળો | ૧૨ ૫ तौ तु भजनोपनीतौ सम्यग्दर्शनमनुत्तरं भवतः । यद् भवदुःखविमोक्षं द्वावपि न पूरयतः प्रत्येकम् ॥ ५१ ।। नास्ति पृथ्वीविशिष्टो "घट" इति यत्तेन युज्यतेऽनन्यः ।। यत्पुनः “घट" इति पूर्वं न चासीत् पृथ्वी ततोऽन्यः ॥ ५२ ॥ ગાથાર્થ - તે બન્ને નયો જો ભજનાએ (સાપેક્ષપણે) લગાડાય તો તે બન્ને નયો અનુપમ સમ્યગ્દર્શન પણાને પામે છે. જે કારણથી બન્ને નયો પણ જો એક એક છુટા છુટા હોય તો ભવ સંબંધી દુઃખોનો વિમોક્ષ કરાવી શકતા નથી. આ પ૧ || વિશિષ્ટ (અત્યજા ભિન્ન) ઘટ નથી. તેથી તે અભિન્ન પણ સંભવે છે. તથા પૂર્વે રહેલી જે માટી છે તે (ઘટ બન્યા પૂર્વે) ઘટ રૂપે નથી. તેથી ઘટ ભિન્ન પણ છે. તે પર II વિવેચન - ઉપરની ગાથા ૫૦ માં સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદમાં જે કોઈ દોષો આપવામાં આવ્યા છે. તે સઘળા દોષો સાચા છે. અને આવા પ્રકારનો એકાન્ત માનવામાં દોષો આવે જ છે. કારણ કે આ બન્ને દૃષ્ટિઓ એક બાજુ જ જોતી હોવાથી બીજી બાજુ જોવામાં સર્વથા અંધ છે. “એક બાજુ જ જોવું અને બીજી બાજુ ન જોવું” આ ઉણપને લીધે તે બન્ને માન્યતાઓમાં દોષો આવી જ જાય છે. પરંતુ જો આ બન્ને વિચારસરણીને યથાસ્થાને નિયુક્ત કરીને બન્નેનો પરસ્પર સમન્વય કરવામાં આવે એટલે કે યથાર્થ રીતે ગોઠવવામાં આવે તો એક બીજાની બાકી રહેલી ઉણપ ટળી જવાના કારણે પરિપૂર્ણ દૃષ્ટિ બને છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને (એટલે કે વાસ્તવિક સ્વરૂપને તથા પરિપૂર્ણ સ્વરૂપને) સમજાવનારી દૃષ્ટિ બને છે. જેથી બન્ને પક્ષે કહેલા દોષોમાંનો એક પણ દોષ આવતો નથી. - જે સત્કાર્યવાદ છે તે શક્તિની અપેક્ષાએ એટલે કે દ્રવ્યગતશક્તિની અપેક્ષાએ છે. અર્થાત્ દ્રવ્યાર્થિક નયની છે અને જે અસત્કાર્યવાદ છે તે ઉત્પત્તિની એટલે પ્રગટપણાની અપેક્ષાએ અર્થાત્ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ છે. માટીમાં ઘટ અવશ્ય સત્ છે. પરંતુ તે શક્તિની અપેક્ષાએ જ સત્ છે સર્વથા સત્ નથી. માટીમાં ઘટ બનવાની શક્તિ છે. માટે શક્તિથી ત્યાં ઘટ સત્ છે. પણ ઉત્પત્તિ હજુ થઈ નથી. તેથી ઉત્પત્તિની અપેક્ષાએ ત્યાં ઘટ સત્ નથી. આ કારણે ઉત્પત્તિ કરવા માટે દંડચક્રાદિ સામગ્રીની જરૂર રહે છે. પ્રયત્નવિશેષ પણ કરવાનો રહે છે. કર્તા-કર્મ કરણ આદિ કારકોની આવશ્યકતા પણ રહે જ છે. તેથી પ્રયત્ન કર્યા પહેલાં જલાધારાદિ ઘટસંબંધી કાર્યો અને તેના વ્યવહારો થતા નથી. આમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy