SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૫૦ ૩૪૭ છે. કારણ કે તેઓ કારણમાં કાર્ય અવિદ્યમાન છે. (અસત્ છે) અને ઉત્પન્ન થાય છે તેમ માને છે. આ કારણથી તેઓ ભેદવાદી પણ કહેવાય છે. સાંખ્યો અભેદકાર્યવાદી હોવાથી સત્કાર્યવાદી છે અને બૌદ્ધો તથા વૈશેષિકો ભેદકાર્યવાદી હોવાથી અસત્કાર્યવાદી છે આમ હોવાથી આ બન્ને દર્શનકારો સામસામા એકબીજાનું જોરશોરથી ખંડન કરે છે અને પરસ્પર દોષો આપે છે. સત્કાર્યવાદી અસત્કાર્યવાદીને અને અસત્કાર્યવાદી સત્કાર્યવાદીને પરસ્પર દોષો આપે છે. ત્યાં પ્રથમ સત્કાર્યવાદી એવા સાંખ્યો અસત્કાર્યવાદી એવા બૌદ્ધોને અને વૈશેષિકોને કેવા કેવા દોષો આપે છે ? તે કહે છે. સાંખ્યોનું કહેવું છે કે માટીમાં ઘટ છે તો જ ઉત્પન્ન થાય છે. ઘટ બનાવવા માટે લોકો માટી જ કેમ લાવે છે ? પત્થર કેમ લાવતા નથી ? ઘટ બનાવવા તખ્ત કેમ લાવતા નથી? લોકો સમજે છે કે પત્થરમાં કે તખ્તમાં ઘટ નથી. પણ માટીમાં જ ઘટ છે. તેથી નિશ્ચિત થાય છે કે માટીમાં ઘટ છે જ. આ રીતે પટ બનાવનાર તખ્ત જ કેમ લાવે છે ? માટી કેમ લાવતા નથી ? તેઓ સમજે છે કે પટ તત્ત્વમાં જ છે. માટીમાં નથી. માટે માટીમાં ઘટ, તત્ત્વમાં પટ, સુવર્ણમાં અલંકાર અને તલમાં તેલ સત્ છે અને ચક્રદંડાદિ-તુરીવેમાદિ સામગ્રી પ્રાપ્ત થતાં સત્ એવાં તે તે કાર્યો પ્રગટ થાય છે. આમ સાંખ્યો કારણમાં કાર્ય અભેદભાવ રહેલું છે. સત્ છે. અને સામગ્રીથી પ્રગટ થાય છે. આવિર્ભાવ પામે છે. આવું માને છે. તેથી તે અભેદવાદી અને સત્કાર્યવાદી કહેવાય છે. બૌદ્ધો અને વૈશેષિકોનું કહેવું છે કે માટીમાં ઘટ નથી તો જ ઉત્પન્ન થાય છે જો ઘટ બન્યા પહેલાં પણ માટી કાલે જ માટીમાં ઘટ સત્ હોય તો દંડચક્રાદિ સામગ્રી લાવવાની અને ઘટ બનાવવાની શી જરૂર ? માટી કાલે જ જો ઘટ છે તો તે સમયે જ જલાધારાદિ ઘટકાર્ય થવા લાગો. તનતુમાં પટ જો પ્રથમથી છે જ તો તુરીવેમાદિ લાવવાની અને વણકરે પ્રયત્ન કરવાની શી જરૂર છે ? તતુકાલે જ શરીર આચ્છાદનાદિ પટકાર્ય થવા લાગો. સુવર્ણકાલે જ અલંકારો જો હોય તો ઘડાવવાની શી જરૂર? તે સુવર્ણ જ અલંકાર રૂપે શરીર ઉપર ધારણ કરાઓ. તલમાં તેલ જો પ્રથમથી છે જ. તો ઘાણીમાં પીસવાની શી જરૂર ? તલથી જ પુરી તળવાનું તેલ કાર્ય થઈ જાઓ. તથા રસોઈનું કાર્ય પણ થઈ જાઓ. પણ આમ થતું નથી. માટે કારણમાં કાર્ય નથી. કારણથી કાર્ય ભિન્ન છે અને તેને તેને ઉચિત સામગ્રી મળવાથી જ તે તે કાર્ય ઉત્પન્ન થાય છે આમ બૌદ્ધો અને વૈશેષિકો કારણથી કાર્ય ભિન્ન છે કારણમાં કાર્ય સત્ નથી પણ અસત્ છે. સામગ્રી મળવાથી ઉત્પન્ન થાય છે એવું માને છે તેથી તે ભેદવાદી એટલે કે અસત્કાર્યવાદી કહેવાય છે. બન્નેની દૃષ્ટિ જુદી જુદી છે તેથી માન્યતાભેદ છે. માન્યતાનો ભેદ થવાથી એક બીજા એક બીજાને વૈરાયમાનવૃત્તિથી જોતા છતા અનેક દોષો આપે છે. સૌથી પ્રથમ સાંખ્યોના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy