________________
૩૩૨ કાડ-૩ – ગાથા-૪૩-૪૪
સન્મતિપ્રકરણ પ્રશ્ન છે. મનુષ્યના સ્વભાવમાત્રમાં જ આ બન્ને બલો રહેલાં છે. તેથી જ આ બન્ને બળોવાળા જીવો પરસ્પર વિરોધ કર્યા કરે છે અને લલ્યા જ કરે છે. જેમ પુરૂષાર્થ અને પ્રારબ્ધની લોકો ચર્ચા જ કરતા હોય છે. તેમ શ્રદ્ધા અને તર્કની પણ સતત ચર્ચા જ કરતા હોય છે. એકાન્તદષ્ટિ હોવાથી તેમાં કદાપિ નિર્ણય આવી શકતો નથી.
કોઈ પુરૂષાર્થવાદી મનુષ્ય પોતાની દૃષ્ટિપ્રમાણે ઘણીવાર દલીલ કરે છે કે માણસે ધનોપાર્જન વાસ્તુ પ્રયત્ન કરવો જોઈએ, ભાગ્ય ઉપર ભરોસો રાખીને ઘેર બેસી રહેવાથી કંઈ ફુટી કોટી પણ મળતી નથી. જે મહેનત કરે છે તે જ આખરે કમાય છે. પ્રમાદી અને આળસુ માણસો નિર્ધનદશાને અને લાચારીને જ પામે છે. આ વ્યક્તિ આમ બોલે છે તેની સામે પ્રારબ્ધવાદી મનુષ્ય પોતાની દૃષ્ટિપ્રમાણે વારંવાર આવી જ દલીલ કરે છે કે મજુરી કરનારા મજુરને ઘણો ઘણો પુરૂષાર્થ કરવા છતાં દૈનિક વેતન જેટલું જ ધન મળે છે. જ્યારે ભાગ્ય ખીલે છે ત્યારે લોટરી લાગવાથી, વડીલો દ્વારા ભૂમિમાં દટાયેલું ધન મળવાથી, અથવા ભાવોની મોટી વધઘટ થવાથી એક રાતમાં લાખોની સંપત્તિ મળે છે. માટે ભાગ્ય જ પ્રધાન છે. આમ પુરૂષાર્થવાદી અને પ્રારબ્ધવાદી સદા તર્કબાજી કર્યા જ કરે છે. ક્યારે ય પણ તેનો અંત આવતો નથી. કારણ કે બન્નેની દૃષ્ટિ પોત પોતાના માનેલા એક બાજુના એકાન્ત છેડા ઉપર છે. દૃષ્ટિ સમન્વયાત્મક નથી.
આ જ પ્રમાણે હેતુવાદ અને અહેતુવાદ સંબંધી ધર્મવાદ (ધર્મચર્ચા) પણ આ સંસારમાં આમ જ ચાલતી હોય છે. કોઈક વ્યક્તિ એમ જ કહ્યા કરે છે કે ધર્મની બાબતમાં લોકો મન ફાવે તેમ કહેનારા હોય છે. સૌ પોતપોતાની મનમાન્યો ધર્મ બતાવે છે. ધર્મમાં પણ કેટલીક વાત બુદ્ધિમાં બેસે તેવી હોય છે. અને કેટલીક બુદ્ધિમાં ન બેસે તેવી હોય છે. તેથી શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું હોય તે માની લેવું જ જોઈએ એમ નહીં પરંતુ આપણી તર્કનુસારિણી બુદ્ધિ જ્યાં પહોંચે તે જ સ્વીકારવું જોઈએ. માનવું જોઈએ. ન સમજાય કે બુદ્ધિમાં ન બેસે તેવા ઉપર શ્રદ્ધા રાખવાનો કોઈ અર્થ જ નથી. માટે હેતુવાદ જ બરાબર છે. બધી વાત તર્કથી જ બેસાડવી જોઈએ, અહેતુવાદ (શ્રદ્ધાવાદ) બરાબર નથી. તર્કવાદી જીવ આમ કહે છે. તેની સામે શ્રદ્ધાવાદી આમ કહેવાના જ છે કે “સર્વશે કહેલી બધી વાતો તમારી બુદ્ધિમાં બેસે” “તમને સમજાય જ” એવો નિયમ નથી. કારણ કે સર્વજ્ઞકથિત ભાવો અનંતાનંત છે. અને તમારી બુદ્ધિ ઘણી અલ્પ છે. તેથી બધુ સમજાય જ, તેમ હોતું નથી, જો બધું જ સમજાય તેમ હોત તો તો તમે જ સર્વજ્ઞ બન્યા હોત. માટે આપણી બુદ્ધિ અલ્પ હોવાથી અને સર્વજ્ઞકથિત બધુંજ બુદ્ધિમાં ઉતરે તેમ ન હોવાથી સર્વજ્ઞોના વચનો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. શ્રદ્ધા કરવી જોઈએ. આ અહેતુવાદ છે. આ બન્ને વાદો જ્યારે એકાન્તદૃષ્ટિ તરફ ઢળેલા હોય છે ત્યારે પરસ્પર વિરોધ જ કરવાના અને ઝઘડવાના, પણ સમન્વય નહીં સાધવાના.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org