SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૨ કાષ્ઠ-૩ – ગાથા-પ સન્મતિપ્રકરણ परपज्जवेहिं असरिसगमेहं, णियमेण णिच्चमवि नत्थि । सरिसेहिं वि वंजणओ अत्थि ण पुणऽत्थपज्जाए ।। ५ ।। परपर्यायैरसदृशगमैर्नियमेन नित्यमपि नास्ति । सदृशैरपि व्यञ्जनतोऽस्ति न पुनरर्थपर्यायैः ॥ ५ ॥ ગાથાર્થ - અસંદેશ (અર્થાત્ વિજાતીય) એવા પરપર્યાયો દ્વારા વિવક્ષિત એવી વસ્તુ સદાકાલ નિયામાં નથી જ. તથા સંદેશ (અર્થાત્ સજાતીય) એવા પર્યાયોમાં પણ વ્યંજનપર્યાયથી વસ્તુ છે. પરંતુ અર્થપર્યાયથી વસ્તુ નથી. / ૫ // | વિવેચન - આ સંસારમાં રહેલા તમામ પદાર્થોમાંના કોઈ પણ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે ? તે આ ગાળામાં સમજાવે છે. આ સંસારમાં જે કોઈ વસ્તુ છે અને તેને જે જે નામથી બોલાવાય છે. તથા તેનો જે જે રૂપે લેવડ-દેવડ પણે વ્યવહાર કરાય છે. તેમાં જે જે કાર્ય કરાય છે તે સઘળું કે તેમાં રહેલા અમુક પ્રકારના ચોક્કસ સ્વરૂપને લીધે જ થાય છે. જેમ કે ઘટ ઘટ કહેવાય છે. જેની પાસે ઘટ છે તેની પાસે જ ઘટનો અર્થી જીવ ઘટ માગે છે અને તે અર્થીને ઘટવાળી વ્યક્તિ જ ઘટ આપે છે આવી ઘટને ઘટ સમજીને જ લેવડ-દેવડ થાય છે. તથા ઘટ ઘટ સમજીને જ તેમાં જલ-ઘી-તેલ ઈત્યાદિ ઉચિત પદાર્થો રાખવાનું કાર્ય કરાય છે. ઘટપણે બોલાવવાનો વ્યવહાર (ઘટશબ્દવાચ્યતા), ઘટની લેવડદેવડ (ઘટની આદાન-પ્રદાનતા), અને ઘટ સમજીને તે તે કાર્ય કરવાપણાનો વ્યવહાર, (તન્નિમિત્તકકાર્યવ્યવહાર) ઇત્યાદિ સઘળું ય ઘટમાં જે કંઈ થાય છે. તે વિવક્ષિત ઘટમાં “ઘટપણાનું અમુક ચોક્કસ સ્વરૂપ” અર્થાત્ પ્રતિનિયત સ્વરૂપ એટલે કે કંબુગ્રીવાદિ આકારવિશિષ્ટતા તે પદાર્થમાં છે જ. તો જ તેને ઘડા તરીકે ઉપરોક્ત સઘળો વ્યવહાર થતો સંસારમાં દેખાય છે. આ જ પ્રમાણે સઘળા પદાર્થમાં પણ સમજવું. તે ઘટને જોઈને “આ ગાય છે” એમ સમજીને કોઈ દોહવા બેસતું નથી, “આ સાપ છે” એમ સમજીને કોઈ ભયભીત થતું નથી કે “આ અલંકાર છે” એમ સમજીને કોઈ તેને શરીર ઉપર અલંકારરૂપે ધારણ કરતું નથી. સારાંશ કે તે વિવક્ષિત ઘટને “આ ઘટ છે” આમ સમજીને સર્વે સંસારી લોકો ઘટસંબંધી જ વ્યવહાર કરે છે પરંતુ ઘટથી ઈતરપદાર્થ સંબંધી વ્યવહાર કરતા નથી. તેથી ચોક્કસપણે ખાત્રી થાય છે કે તે ઘટપદાર્થ ઘટરૂપે જ છે. ઈતર સ્વરૂપે નથી. સ્વસ્વરૂપે જ છે. પરસ્વરૂપે નથી. એટલે કે સ્વસ્વરૂપે અસ્તિ છે અને પરસ્વરૂપે નાસ્તિ છે. કેવલ એકલું સ્વસ્વરૂપ જ હોય અને પરસ્વરૂપનું નાસ્તિપણું ન હોય એમ પણ બનતું નથી, તથા કેવલ એકલું પરસ્વરૂપનું નાસ્તિપણું જ હોય અને સ્વસ્વરૂપનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy