SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪ આના દ્વારા એ ફલિત થાય કે જ્ઞાનનો વિશેષ ઉપયોગ સામાન્ય ઉપયોગથી અંતરિત છે અને સામાન્ય ઉપયોગ વિશેષ ઉપયોગથી અંતરિત છે, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ એક કાળમાં નથી. કેમ જ્ઞાન-દર્શનનો એવો સ્વભાવ છે ? એ પ્રકારે ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે અને ઉત્તર વળી ભગવાન અનુમોદનરૂપે કહે છે કે ‘એ એમ જ છે.’ ૨૪ વળી કેવલીને વિશેષ અવલંબી એવું સાકારજ્ઞાન અને અતિક્રાન્તવિશેષવાળું એવું સામાન્ય અવલંબી અનાકારદર્શન હોય છે. અહીં પ્રશ્ન થાય કે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શનનું આવરણ ક્ષય થયેલું છે, તેથી કેવલીના દર્શનજ્ઞાન સમકાળ નથી અને ક્રમિક કેમ છે ? તેમાં અન્ય આચાર્યો યુક્તિ આપે છે જેમ ચક્ષુજ્ઞાનકાળમાં છદ્મસ્થને શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ નથી તેમ નિરાવરણ એવા કેવલીના જ્ઞાન-દર્શનનો એવો સ્વભાવ હોવાથી એકસાથે ઉત્પત્તિ નથી. અહીં પ્રશ્ન થાય કે છદ્મસ્થને તો આવરણ હોવાના કારણે ચક્ષુજ્ઞાનકાળમાં શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ ન થઈ શકે, પરંતુ કેવલીને તો આવરણ નથી તેથી એક કાળમાં જ્ઞાનની અને દર્શનની ઉત્પત્તિ થવી જોઈએ. તેના સમાધાનરૂપે અન્ય આચાર્યો કહે છે છદ્મસ્થને પણ ચક્ષુજ્ઞાનનો અને શ્રોત્રજ્ઞાનનો ક્ષયોપશમ વર્તે છે, તેથી બન્નેનો ક્ષયોપશમભાવ હોવા છતાં એકસાથે ઉત્પત્તિ થતી નથી તેમ નિરાવરણજ્ઞાનવાળા કેવલીને પણ દર્શનની અને જ્ઞાનની એકસાથે ઉત્પત્તિ નથી અને જો છદ્મસ્થને આવરણને કા૨ણે ચક્ષુજ્ઞાનકાળમાં શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ નથી તેમ સ્વીકારવામાં આવે તો શ્રોત્રમાં ઉપયોગવાળા હોય ત્યારે પણ જો શ્રોત્રજ્ઞાનનું આવરણ વિદ્યમાન હોય તો શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ થવી ન જોઈએ. માટે ચક્ષુજ્ઞાનકાળમાં જેમ ચક્ષુજ્ઞાનનો ક્ષોપશમ વર્તે છે તેમ ચક્ષુજ્ઞાનકાળમાં જ શ્રોત્રજ્ઞાનનો પણ ક્ષયોપશમ વર્તે છે, છતાં ચક્ષુજ્ઞાનકાળમાં શ્રોત્રજ્ઞાન થતું નથી, તેથી છદ્મસ્થને ચક્ષુજ્ઞાન અને શ્રોત્રજ્ઞાન યુગપદ્ થતા નથી તેમાં જ્ઞાનનો તેવો સ્વભાવ જ કારણ છે આવરણ નહીં, તેમ નિરાવરણ એવા કેવલીને એકસાથે દર્શન અને જ્ઞાન થતા નથી તેમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો તેવો સ્વભાવ જ કારણ છે, એમ માનવું જોઈએ. વળી, કેવલીના જ્ઞાનના વિષયભૂત દ્રવ્ય અને પર્યાય બંને સંનિહીત હોવા છતાં પણ કેવલજ્ઞાનનું તેવું જ સામર્થ્ય છે કે સર્વ વિશેષાંશને ગ્રહણ કરે અને કેવલદર્શનનું તેવું જ સામર્થ્ય છે કે સર્વસામાન્યને ગ્રહણ કરે. તેથી કેવલીને કેવલજ્ઞાનના ઉપયોગકાળમાં એકસાથે સર્વ દ્રવ્યના પર્યાયોનું જ્ઞાન થાય છે, પરંતુ દ્રવ્યનું જ્ઞાન થતું નથી અને કેવલદર્શનના ઉપયોગકાળમાં સર્વ દ્રવ્યનું જ્ઞાન થાય, પરંતુ કોઈપણ દ્રવ્યના પર્યાયનું જ્ઞાન થતું નથી. વળી અન્ય આચાર્યો કહે છે ‘કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમસર ઉત્પન્ન થાય છે એ પ્રકારના વ્યાખ્યાનમાં કેવલી અકિંચિજ્ઞ છે, માટે કેવલીને કેવલદર્શનકાળમાં જ્ઞાન નથી અને કેવલજ્ઞાનકાળમાં દર્શન નથી એ પ્રકારનું આળ આપેલું થાય છે' એ પ્રકારે કોઈ દૂષણ આપે છે તે દૂષણ નથી. કેમ દૂષણ નથી ? તેમાં યુક્તિ આપે છે - Jain Educationa International - For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy