SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ / સંકલના. સમ્મતિતર્ક પ્રકરણ દ્વિતીય કાંડના સંકલનની વેળાએ... , Eઝન "A B “સમ્મતિતર્કપ્રકરણ' શબ્દ જ દર્શાવે છે કે જીવમાં વર્તતી અનાદિ કાળની દુર્મતિને દૂર કરી સમ્મતિ પ્રગટ કરાવી આપે તેવા જિનવચનાનુસાર તર્કો દર્શાવતો ગ્રંથ. પ્રસ્તુત ગ્રંથની રચના જૈન જ્યોતિર્ધર, વાદિમાર્તડ પ્રકાંડ પ્રતિભાશાળી આચાર્યપુંગવ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કરી છે અને તેના પર સુવિસ્તૃત “તત્ત્વબોધવિધાયિની” નામની વૃત્તિ નવાંગી ટીકાકારશ્રી આચાર્યપ્રવર શ્રી અભયદેવસૂરિજીએ રચી છે. આ ગ્રંથરત્નની શ્લોકસ્પર્શી વૃત્તિનું વિવેચન પંડિતવર્ય શ્રી પ્રવિણભાઈ મોતાના મુખે સાંભળવા અને તેને ગ્રંથરૂપે સંકલન કરવાનો મને મોકો મળ્યો એ મારા માટે મહાઅવસર બની રહ્યો છે. પ્રસ્તુત ગ્રંથનું મૂળ લખાણ તો શ્રી મયંકભાઈ દ્વારા થયું હતું, પરંતુ કોઈક કારણસર ત્યારપછીનું કાર્ય કરવાની તક મને પ્રાપ્ત થઈ. અગાઉ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ના બે ભાગનો અભ્યાસ પૂર્ણ થવાના આરે હતો અને પ્રસ્તુત ગ્રંથનો અભ્યાસ શરૂ થયો. તેથી પ્રસ્તુત ગ્રંથના તત્ત્વનો બોધ થોડી સરળતાથી થઈ શક્યો. જોકે દેખાતા દ્રવ્યનું સ્વરૂપ જાણવું, જ્ઞાનનું સ્વરૂપ જાણવું અને તેના આધારે અતીન્દ્રિય પદાર્થોના સ્વરૂપને જાણવું એ તો અત્યારસુધી મારા માટે માત્ર બાહ્ય જ્ઞાનરૂપ જ બન્યું છે, પરંતુ તે જ બોધ પરિણતજ્ઞાનરૂપે સ્થિર થાય એ જ અભિલાષા સાથે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન આદર્યું છે. બાહ્ય દેખાતા પદાર્થોનું સ્વરૂપ અનુભવ અનુસાર, યુક્તિ અનુસાર અને શાસ્ત્રવચન અનુસાર કેવું છે ? તે સર્વનું પ્રરૂપણ ગ્રંથકારશ્રીએ પ્રથમ કાંડમાં કર્યું. હવે પ્રસ્તુત કાંડમાં પાંચ જ્ઞાનના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પાંચ જ્ઞાનના સ્વરૂપને જાણવું, ચિત્તમાં સ્થિર કરવું - એ તો આ કાળમાં અઘરું જરૂર છે, પરંતુ વિદ્વાન ગુરુમુખેથી સાંભળવાથી તેનો સ્પર્શ અવશ્ય થઈ શક્યો છે. છમસ્થના ચારે જ્ઞાનો દર્શનપૂર્વક જ થાય છે. વળી, કેવલીના જ્ઞાનનો ઉપયોગ દર્શનથી અનુવિદ્ધ છે અને દર્શનનો ઉપયોગ જ્ઞાનથી અનુવિદ્ધ છે અર્થાત્ કેવલીને કેવલનો એક જ ઉપયોગ હોય છે. વળી, ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધસ્થ કેવલજ્ઞાન એવો ભેદ બતાવીને સ્યાદ્વાદથી થતા સૂક્ષ્મ બોધનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત કાંડમાં બતાવ્યું છે. પ્રસ્તુત ગ્રંથના અભ્યાસ માટે પ્રેરણા કરવા બદલ પૂ. વિશ્વકર્યા સાધ્વીજી ભગવંત શ્રી ચંદનબાળાશ્રીજી મ. સા.નો ઉપકાર માનું છું. શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાથી વિપરીત કે ગ્રંથકારશ્રીના અને ટીકાકારશ્રીના આશયથી વિપરીત કાંઈપણ લખાઈ ગયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધે “ મિચ્છા મિ દુક્કડ”. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy