SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૩૬ विगमध्रौव्यात्मकत्वाद् वस्तुनः अन्यथा वस्तुत्वहानेः, यत् त्वपर्यवसितत्वं सूत्रे केवलस्य दर्शितं, तत् तस्य केवलभावं सत्तामात्रमाश्रित्य, कथंचिदात्माव्यतिरिक्तत्वात् तस्य, आत्मनश्च द्रव्यरूपतया નિયંત્વાન્ ાર/રૂદ્દા ટીકાર્ય : સિદ્ધત્વેનાપવિરામસ્વરૂપે ..... નિચૈત્વા આ સિદ્ધપણાથી અશેષ કર્મના વિગમનરૂપ સિદ્ધપણાથી, વળી, પૂર્વની જેમ આકેવળજ્ઞાન નામનો અર્થપર્યાય, ઉત્પન્ન છે; કેમ કે વસ્તુનું ઉત્પાદવ્યયબ્રોવ્યાત્મકપણું છે, અન્યથા વસ્તુત્વની હાનિ છે. વળી, જે અપર્યવસિતપણું સૂત્રમાં કેવળનું બતાવાયું છે. તે તેના કેવળભાવન=કેવળભાવ રૂપ સત્તામાત્ર, આશ્રયીને બતાવાયું છે, કેમ કે તેનું કેવળજ્ઞાનનું, કથંચિત્ આત્માથી અવ્યતિરિક્તપણું છે અને આત્માનું દ્રવ્યરૂપપણાથી નિત્યપણું છે. /૩૬ ભાવાર્થ : જેમ સિદ્ધિગમન સમયે ભવસ્થ કેવલીનો કેવલપર્યાય નાશ પામે છે તેમ સિદ્ધિગમન સમયમાં કેવળજ્ઞાનનો નવો અર્થપર્યાય પણ ઉત્પન્ન થાય છે. તેથી કેવળજ્ઞાન પણ પ્રતિક્ષણ અન્ય અન્યભાવરૂપે થાય છે. તેમ અર્થથી સિદ્ધ થાય છે. અહીં પ્રશ્ન થાય કે મોક્ષમાં ગમન સમયે કેવળજ્ઞાનરૂ૫ અર્થપર્યાય ઉત્પન્ન થાય છે. તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – આત્મારૂપ વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ છે અને જો તેવું ન સ્વીકારીએ તો વસ્તુનું લક્ષણ સંગત થાય નહીં અને વસ્તુનું લક્ષણ આત્મામાં સંગત નહીં થવાથી આત્માના વસ્તુત્વની હાનિ થાય છે અને આત્માઆત્મદ્રવ્યરૂપે ધ્રુવ હોવા છતાં ઉત્પાદવ્યયરૂપે “કેવળજ્ઞાનરૂપ પર્યાય પ્રતિક્ષણ નવો નવો ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારીએ તો જ આત્મા વસ્તુરૂપે છે તે સંગત થાય. માટે સંસાર અવસ્થાના કેવળજ્ઞાનનો પર્યાય માશ પામ્યો, સિદ્ધ અવસ્થાનો આત્મામાં કેવળજ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થયો તેમ જ સ્વીકારવું જોઈએ. આ રીર્ણ ગ્રંથકારશ્રીએ કેવળ નામનો પર્યાય સિદ્ધ સમયે ઉત્પન્ન થાય છે તેમ કહ્યું. ત્યાં પ્રશ્ન થાય કે સૂત્રમાં કેવળજ્ઞાનને અપર્યવસિત કેમ કહ્યું છે ? તેથી કહે છે – આત્મામાં રહેલા કેવળભાવની સત્તામાત્રને આશ્રયીને કેવળજ્ઞાનને અપર્યવસિત કહ્યું છે અને કેવળભાવની સત્તા કથંચિત્ આત્માથી અવ્યતિરિક્ત છે અને આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે માટે કેવળજ્ઞાનને અપર્યવસિત કહેલ છે. [૨/૩૬ાા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy