SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૦ કેવલીના જ્ઞાનમાં જોવાની અને જાણવાની ઉભયક્રિયા પ્રધાન છે. છદ્મસ્થની જેમ જોવાકાળમાં જોવાનો ઉપયોગ પ્રધાન છે અને જાણવાના કાળમાં જાણવાનો ઉપયોગ પ્રધાન છે. તેવો કેવલીમાં નથી માટે કેવલી એક જ સમયમાં જુએ પણ છે અને જાણે પણ છે. તે કારણથી કેવળના અવબોધરૂપ તે, જ્ઞાન પણ કહેવાય છે અને અવિશેષથી દર્શન પણ કહેવાય છે. અહીં પ્રશ્ન થાય કે, કેવળ અવબોધરૂપ જે કેવલીનું જ્ઞાન છે તે જ્ઞાન પણ કહેવું અને દર્શન પણ કહેવું. તે બે અવિશેષથી કેમ કહેવાય છે ? તેથી ટીકાકારશ્રી કહે છે – કેવલીના બોધને જ્ઞાન અને દર્શન-ઉભયરૂપ કહેવાના નિમિત્તનું અવિશેષ છે કેવલીના જ્ઞાનથી જોય એવો પદાર્થ દ્રવ્ય અને પર્યાય-ઉભયરૂપ છે તે ઉભયના નિમિત્તથી કેવલીને બોધ થાય છે. તેથી દ્રવ્યપર્યાયના ઉભયના બોધને કારણે કેવલીનાં જ્ઞાનને માત્ર જ્ઞાન જ કહેવાતું નથી, પરંતુ જ્ઞાનના ઉપયોગની સાથે અભેદથી દર્શન કહેવાય છે અર્થાત્ દ્રવ્યપર્યાય ઉભયનું કેવલીનું જ્ઞાન જ અભેદથી દર્શન કહેવાય છે; કેમ કે કેવલીને દ્રવ્ય અને પર્યાય બન્નેનો સમકાલ જ બોધ વર્તે છે. તેથી કેવલીનું કેવલ જ્ઞાનમાત્ર જ નથી કે દર્શનમાત્ર નથી. પરંતુ જ્ઞાનદર્શન ઉભયરૂપ કેવલ છે. વળી, પરસ્પર વિવિક્ત એવું ઉભયનું અક્રમરૂપ જે અક્રમવાદી કહે છે તેવું પણ નથી. પરંતુ એક જ કેવલ ઉપયોગ છે જેના વિષયભૂત પદાર્થ દ્રવ્ય અને પર્યાય છે તેથી તે ઉપયોગ જ્ઞાન-દર્શનરૂપ છે. વળી, જ્ઞાનદર્શનનો ક્રમ સ્વભાવ પણ નથી. પરંતુ કેવલીનો અવબોધ જ્ઞાનદર્શનાત્મક એક પ્રમાણ છે એક ઉપયોગ છે અને તેવો ન માનો તો પૂર્વમાં કહ્યું તે પ્રમાણે જગતમાં પર્યાય વગરનું કોઈ દ્રવ્ય નથી અને દ્રવ્યરહિત કોઈ પર્યાય નથી. તેથી કેવલીના બોધના વિષયભૂત માત્ર દ્રવ્ય અને માત્ર પર્યાય નહીં હોવાથી કેવલીના બોધના અભાવનો પ્રસંગ આવે. ટીકા : छद्मस्थावस्थायां तु प्रमाणप्रमेययोः सामान्यविशेषात्मकत्वेऽप्यनपगतावरणस्यात्मनो दर्शनोपयोगसमये ज्ञानोपयोगस्यासम्भवाद् अप्राप्यकारिनयनमनःप्रभवार्थावग्रहादिमतिज्ञानोपयोगप्राक्तनी अवस्था अस्पष्टावभासिग्राह्यग्राहकत्वपरिणत्यवस्थाव्यवस्थितात्मप्रबोधरूपा चक्षुरचक्षुर्दर्शनव्यपदेशमासा- दयति, द्रव्यभावेन्द्रियालोकमतिज्ञानावरणकर्मक्षयोपशमादिसामग्रीप्रभवरूपादिविषयग्रहणपरिणतिश्चात्मनोऽवग्रहादिरूपा मतिज्ञानशब्दवाच्यतामश्नुते । श्रुतज्ञानावरणकर्मक्षयोपशम(:)वाक्यश्रवणादिसामग्रीविशेषनिमित्तप्रादुर्भूतो वाक्यार्थग्रहणपरिणतिस्वभावो वाक्यश्रवणानिमित्तो वा आत्मनः श्रुतज्ञानमिति शब्दाभिधेयतामाप्नोति । रूपिद्रव्यग्रहणपरिणतिविशेषस्तु जीवस्य भवगुणप्रत्ययावधिज्ञानावरणकर्मक्षयोपशमप्रादुर्भूतो लोचनादिबाह्यनिमित्तनिरपेक्षः अवधिज्ञानमिति व्यपदिश्यते तज्जैः, अवधिदर्शनावरणकर्मक्षयोपशमप्रादुर्भूतस्तु स एव तद्व्यसामान्यपर्यालोचनस्वभावोऽवधिदर्शनव्यपदेशभाग् भवति । अर्धतृतीयद्वीपसमुद्रान्तर्वतिसकलमनोविकल्पग्रहणपरिणतिर्मनःपर्यायज्ञानावरणकर्मक्षयोपशमादिविशिष्टसामग्रीसमुत्पादिता चक्षुरादिकरणनिरपेक्षस्यात्मनः मनःपर्याय Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy