SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-પ૧ સર્વથા એકરૂપ આત્મા તે તે કાળમાં તે તે મિથ્યાત્વાદિ ભાવરૂપ તે તે પરિણતિવાળો થાય છે તેમ કહી શકાય નહીં, તેથી અર્થથી આત્મા કોઈક અપેક્ષાએ એકરૂપ છે અને કોઈ અપેક્ષાએ મિથ્યાત્યાદિ ભાવોથી અનેકરૂપ છે એમ સ્વીકારવું જોઈએ. વળી જો આત્મા એક-અનેક ન હોય તો પુદ્ગલોની સાથે એકમેક પણ થાય નહીં; કેમ કે સર્વથા એક એવા આત્મામાં અન્યથા થવાની યોગ્યતા નથી. વળી કર્મને વશ સુખ-દુઃખના અનુભવરૂપ ભોગ થાય છે તે પણ આત્મા એક-અનેક ન હોય તો સંગત થાય નહીં; કેમ કે એકરૂપ એવા આત્માને ક્યારેક સુખ પરિણતિ અને ક્યારેક દુઃખ પરિણતિરૂપ અનેક અવસ્થાની પ્રાપ્તિ સ્વીકારીએ તો આત્મા અનેકરૂપ પણ સિદ્ધ થાય. વળી, આત્માને સર્વથા અનેકરૂપ સ્વીકારીએ અને એકરૂપ ન સ્વીકારીએ તો મિથ્યાત્વની પરિણતિવાળો આત્મા બંધ કરે છે અને તેના ફળને ભોગવે છે તે સંગત થાય નહીં, કેમ કે પ્રતિક્ષણ અન્ય અન્ય રૂપે થતો આત્મા જુદો છે અને તે વિજ્ઞાનમાત્રરૂપ છે તેમ બૌદ્ધમત અનુસાર સ્વીકારવાથી અનેકરૂપ પ્રાપ્ત થાય, પરંતુ અન્ય અન્ય ભાવોને એક આત્મા કરે છે અને તેના ફળને તે જ આત્મા ભોગવે છે તેમ પ્રાપ્ત થાય નહીં. તે ગાથા-૫૧થી ૫૩ સુધી સ્પષ્ટ કરે છે – અન્ય રીતે અવતરણિકા :_ 'अथवा' परस्परसापेक्षद्रव्यास्तिकपर्यायास्तिकयोः प्ररूपणा प्रदर्शितन्यायेन सम्भविनी, निरपेक्षयोः कथं सा? इत्याह - અન્ય રીતે અવતરણિકાર્ય : ‘અથવાથી અન્ય પ્રકારે અવતરણિકા કરે છે – પરસ્પર સાપેક્ષ એવા દ્રવ્યાસિકનયની અને પર્યાયાસ્તિકાયની પ્રરૂપણા પ્રદર્શિત વ્યાયથી=ગાથા-૧૨થી અત્યાર સુધી બતાવ્યું એ દૃષ્ટિથી, સંભવે છે. નિરપેક્ષ એવા તે બેની તે પ્રરૂપણા, કેવા પ્રકારની છે ? એને કહે છે-ગાથાપ૧-૫૨માં કહે છે – ભાવાર્થ : ગાથા-૧૨માં ગ્રંથકારશ્રીએ કહેલ કે દ્રવ્ય પર્યાયથી વિમુક્ત નથી અને પર્યાય દ્રવ્યથી વિમુક્ત નથી, તેથી દ્રવ્ય ઉત્પાદુ, સ્થિતિ અને ભંગ સ્વરૂપ ત્રણ લક્ષણવાળું છે. ત્યારપછી પરસ્પર સાપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા કઈ કઈ રીતે સંગત છે ? તેનું અત્યાર સુધી નિરૂપણ કર્યું. આ દૃષ્ટિથી પરસ્પર સાપેક્ષ દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા સંભવે છે. હવે નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા કેવા પ્રકારની છે ? તે ગાથા-૫૧-૫રમાં બતાવે છે – ગાથા : दवट्ठियस्स आया बंधइ कम्मं फलं च वेएइ । बीयस्स भावमेत्तं ण कुणइ ण य कोइ वेएइ ।।१/५१।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy