SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૬ બાલ આદિ આત્મક પુરુષદ્રવ્યને જેમ=બાલ, યૌવન અને વૃદ્ધ અવસ્થાવાળા પુરુષદ્રવ્યને જેમ, આગામી સુખ-દુઃખની પ્રાર્થના થાય છે તેમ જીવદ્રવ્યને બંધ, મોક્ષ, સુખ, દુખની પ્રાર્થના થાય છે. અને પૂર્વ-ઉત્તર ભવના અનુભવ કરનારા જીવનો અભાવ હોવાથી બંધ અને મોક્ષ ભાવનો અભાવ છે એમ ન કહેવું; કેમ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક એવા તેનું જીવદ્રવ્યતું. અનાદિ અનંતનું જ પ્રસાધિતપણું છે. ll૧/૪૬il ભાવાર્થ : અવતરણિકામાં કહ્યું તેમ આત્માના અંતરંગ પરિણામોના પ્રત્યક્ષથી પણ આત્મા ભેદાભદાત્મક છે તે દૃષ્ટાંત દ્વારા પ્રતિપાદન કરે છે. તેમાં ગાથાના પૂર્વાર્ધથી દૃષ્ટાંત બતાવે છે કે જેમ યૌવનસ્થ પુરુષને પોતાના અતીત એવા બાલભાવમાં કરાયેલી અસ્પૃશ્ય એવા વિષ્ટાદિના સંસ્પર્શ પ્રત્યે જુગુપ્સા થાય છે અને પોતાના વૃદ્ધાવસ્થાને ગુણ કરનાર એવા ધનાર્જનાદિ કૃત્યોમાં ઉત્સાહ થાય છે એમ જે ગાથા-૪૩-૪૪માં બતાવીને પુરુષની ભેદાભદાત્મકની સિદ્ધિ કરી તે પ્રમાણે દેહવર્તી જીવદ્રવ્ય ભેદાભદાત્મક છે અર્થાત્ દેહધારી જીવદ્રવ્ય તો બાલ આદિ ભાવોને કારણે ભેદાભદાત્મક છે, પરંતુ દેહવર્તી જીવદ્રવ્ય પણ ભેદાભદાત્મક છે. તેથી વિવેકી જીવ બંધના કારણોનો પરિત્યાગ કરે છે અને મોક્ષના કારણોનું ગ્રહણ કરે છે. તેના દ્વારા મોક્ષના સુખની પ્રાર્થના કરે છે અને સંસારના પરિભ્રમણના દુઃખના ત્યાગની પ્રાર્થના કરે છે. જીવદ્રવ્ય અન્ય ભવમાં જનાર હોવાથી વર્તમાનના જીવ સાથે અન્ય ભવના જીવનો જો અભેદ ન હોય તો જીવ બંધના ઉપાયોનો ત્યાગ કરીને દુઃખના પરિવારની અને મોક્ષના ઉપાયોનું ગ્રહણ કરીને સુખ પ્રાપ્તિની પ્રાર્થના કરે નહીં. વળી જો જીવનો સર્વથા અભેદ જ હોય તો વર્તમાનની સ્થિતિથી પછીની સ્થિતિમાં કોઈ પરિવર્તન પ્રાપ્ત ન થાય. તેથી પણ આગામી સુખ માટે અને દુ:ખના પરિવાર માટે પ્રાર્થના કરે નહીં. વિવેકી જીવો બંધના સાધનોનો પરિહાર કરે છે અને મોક્ષના સાધનોને ગ્રહણ કરે છે અને તેના દ્વારા દુઃખના પરિત્યાગની અને સુખની પ્રાપ્તિની ઇચ્છા રાખે છે. તેનાથી જ સિદ્ધ થાય છે કે જીવદ્રવ્ય અનાદિઅનંતાત્મક છે અને તેનો ઉત્તર અવસ્થા સાથે કથંચિ અભેદ છે. તેથી ઉત્તર અવસ્થામાં જીવ અનુગત છે. અને ઉત્તર અવસ્થા સાથે કથંચિત્ ભેદ છે, તેથી પૂર્વની અવસ્થા કરતાં ઉત્તરની અવસ્થા કાંઈક વિલક્ષણ છે અને પોતાની વર્તમાનની અવસ્થા પછીની ઉત્તરની અવસ્થા સુખમય બને અને દુઃખના અભાવવાળી બને તદ્ અર્થે વિવેકી જીવો મોક્ષના સાધનોના ગ્રહણમાં યત્ન કરે છે અને બંધના સાધનોના ત્યાગમાં યત્ન કરે છે. આ પ્રકારના ગાથાના કથનથી એ પ્રાપ્ત થયું કે ગાથાના પૂર્વાર્ધમાં દેહધારી પુરુષને ગ્રહણ કરીને તેની પૂર્વની અવસ્થાના અનુચિત કૃત્યો પ્રત્યેની જુગુપ્સા અને ઉત્તરની અવસ્થાના હિતની ચિંતા જે સર્વ લોકમાં સિદ્ધ છે તેને દૃષ્ટાંતમાં ગ્રહણ કરીને ગાથાના ઉત્તરાર્ધમાં જે યોગીઓ પરલોક અર્થે યત્ન કરે છે તેઓના મોહનાશને અનુકુલ અંતરંગ ઉદ્યમને સામે રાખીને આધ્યાત્મિક પ્રત્યક્ષથી આત્માના ભેદાભદાત્મકની સિદ્ધિ કરી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy