SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦, ૪૧ આઠમો ભાંગો કરવામાં આવે તો પાંચમા ભાંગાની પ્રાપ્તિ થાય; કેમ કે પાંચમો ભાંગો સ્યાદ્ અસ્તિઅવક્તવ્યરૂપ પ્રથમ ભાંગાના અને ત્રીજા ભાગાના સંયોગથી થયેલ છે. બીજા ભાંગાના અને ત્રીજા ભાંગાના સંયોગથી આઠમા ભાંગાની કલ્પના કરવામાં આવે તો છઠ્ઠા ભાંગાની પ્રાપ્તિ થાય; કેમ કે સ્યાદ્ નાસ્તિ-અવક્તવ્યરૂપ છઠ્ઠો ભાંગો બીજા ભાંગાના અને ત્રીજા ભાંગાના સંયોગથી થયેલો છે. પ્રથમ, બીજા અને ત્રીજા ભાંગાના સંયોગથી આઠમા ભાંગાની કલ્પના કરવામાં આવે તો સાતમો ભાંગો જ પ્રાપ્ત થાય; કેમ કે સાતમા ભાંગામાં સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ અને સ્યાદ્ અવક્તવ્યરૂપ છે જે પ્રથમ, દ્વિતીય અને તૃતીયના સંયોગથી થયેલ છે. પ્રથમ, ચતુર્થાદિ સંયોગની કલ્પનામાં પુનઃ ઉક્તિ દોષ છે અર્થાત્ પૂર્વના ભાંગાઓ જ ફરી ફરી પ્રાપ્ત થાય છે. એથી કોઈ પણ રીતે આઠમા ભાંગાનો સંભવ નથી. એથી પૂર્વમાં વર્ણન કરાયેલા સાત ભાગાના ન્યાયથી વસ્તુના પ્રતિપાદનમાં સાત પ્રકારનો જ વચન માર્ગ છે. ll૧/૪oll અવતરણિકા : अन्योन्यापरित्यागव्यवस्थितस्वरूपवाक्यनयानां शुद्ध्यशुद्धिविभागेन संग्रहादिव्यपदेशमासादयतां द्रव्यार्थिकपर्यायार्थिकनयावेव मूलाधार इति प्रदर्शनार्थमाह - અવતરણિયાર્થ: શુદ્ધિના અને અશુદ્ધિના વિભાગથી સંગ્રહાદિના વ્યપદેશને પામતા એવા અન્યોન્ય અપરિત્યાગથી વ્યવસ્થિત સ્વરૂપવાળા વાક્યરૂપ તયોનો મૂલાધાર દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જ છે. એ પ્રમાણે બતાવવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૪૦ની ટીકામાં કહ્યું કે સપ્તભંગીઆત્મક એવા આ ભાંગાઓમાંથી પ્રત્યેક ભાગો પરસ્પર સ્વરૂપની અપેક્ષાથી સ્વાર્થનું પ્રતિપાદન કરે છે, અન્યથા કરતો નથી. તેથી એ ફલિત થયું કે આ સાતેય ભાંગાઓ પરસ્પરના અપરિત્યાગથી વ્યવસ્થિત સ્વરૂપવાળા વાક્યરૂપ નન્યો છે. આ વાક્યરૂપ નયો શુદ્ધિ અશુદ્ધિના વિભાગથી સંગ્રહાદિના વ્યપદેશને પામે છે અર્થાત્ પ્રથમના નય અશુદ્ધિવાળા હોય છે અને ઉત્તરના નય શુદ્ધિવાળા હોય છે. તેથી સંગ્રહાદિ દરેક નયામાં પ્રથમ પ્રથમના નયો કરતાં ઉત્તર ઉત્તરના નયો શુદ્ધિને પામનારા છે. આથી જ પ્રથમનો નય જે સામાન્યથી કથન કરે તેનો ત્યાગ કરીને શુદ્ધિવાળો ઉપરનો નય વિશેષને બતાવે છે. જેમ વ્યવહારનય ચોથા ગુણસ્થાનકમાં રહેલાને સમ્યગ્દષ્ટિ કહે છે, જ્યારે તેના કરતાં વિશેષ પ્રકારની શુદ્ધિને સ્પર્શનારો નિશ્ચયનય જેવો બોધ હોય તેવી જ રુચિ હોય અને તેવી જ પ્રવૃત્તિ કરતા હોય તેવા અપ્રમત્ત સાધુને જ સમ્યગ્દષ્ટિ કહે છે. એથી વ્યવહારનય અશુદ્ધિવાળો છે અને નિશ્ચયનય શુદ્ધિવાળો છે. આ રીતે સંગ્રહનય આદિ દરેક નયો પૂર્વ પૂર્વના નય વડે સ્વીકારાયેલ પદાર્થને વિશેષ વિશેષ પ્રકારે ગ્રહણ કરે છે, તેથી પૂર્વના નયની અપેક્ષાએ ઉત્તરનો નય શુદ્ધિવાળો છે. વળી, શુદ્ધિના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy