SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય (પ્રથમ આવૃત્તિ વેળા) ગણિતનો વિષય સામાન્ય રીતે અઘરો તથા શુષ્ક ગણાય છે, પરંતુ તેમાં રમૂજ અને રહસ્ય બંને ભરેલાં છે. પ્રસ્તુત પ્રકાશન તેની પ્રતીતિ કરાવશે. સને ૧૯૩૬-૩૭માં ગ્રંથલેખક પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહે વિદ્યાર્થી-વાચનમાળાનાં ૨૦૦ પુસ્તકોની યોજના કરીને, તેના પ્રકાશનમાં પ્રાણ પૂર્યો હતો. તે જ અરસામાં તેમણે વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનની વૃદ્ધિ અર્થે “કુમાર-ગ્રંથમાળા'નું પ્રકાશન હાથ ધર્યું હતું અને તેના પ્રથમ પુષ્પ તરીકે કોયડા-સંગ્રહ-ભાગ પહેલો તથા ત્રીજા પુષ્પ તરીકે “કોયડા–સંગ્રહ–ભાગ બીજો ધી જ્યોતે કાર્યાલય લિ. દ્વારા પ્રસિદ્ધ કર્યા હતા. આ બંને ભાગને મુંબઈ ઇલાકાના કેળવણી ખાતાએ પ્રાથમિક શાળાઓની લાઈબ્રેરી માટે તથા વડોદરા રાજ્યના કેળવણી ખાતાએ શાળા-પુસ્તકાલય માટે મંજૂર કરી તેની શૈક્ષણિક ઉપયોગિતા સ્વીકારી હતી. આ બંને ભાગ ટૂંક સમયમાં ખપી ગયા હતા. હાલ તે અલભ્ય છે. ત્યાર બાદ ગ્રંથલેખકે અવધાન-ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ગણિતના વિષયમાં ઊંડો રસ લીધો અને બહુમૂલ્ય સામગ્રી એકત્ર કરવા માંડી. તેમણે વિજાપુર, વડોદરા, વીરમગામ, પાલનપુર, મુંબઈ, કલકત્તા, બાવર, કરાંચી આદિ અનેક સ્થળોએ અવધાન-પ્રયોગો કરતી વખતે ગણિતના ચમત્કારિક પ્રયોગો પણ કરી બતાવ્યા અને તેણે લોકોનું ભારે આકર્ષણ કર્યું. એ વખતે એક સામયિકે તો એમ પણ લખ્યું હતું કે “કાળા માથાનો માનવી શું ન કરી શકે ? પંડિત શ્રી ધીરજલાલ શાહના ગણિતના પ્રયોગો ભલભલાનાં મોમાં આંગળાં નખાવે છે.” પ્રસ્તુત પ્રકાશનથી તેમના ગણિતવિષયક ચમત્કારિક પ્રયોગોમાના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy