________________
૧૪
અને જાતે લડવા આન્યા. સખેશ્વર તીર્થ આગળ અને સેનાઓ એકઠી થઈને ત્યાં લડાઈ થઈ તેમાં જરાસ'ધે જરા મુકીને બધાને બેભાન કર્યા તે સમયે બળદેવજીએ પૂછતાં નેમિનાથ પ્રભુએ પેાતાના અવિધ જ્ઞાનથી કહ્યું કે પાર્શ્વનાથની પ્રતિમાની યાચના કરે, જે અષાઢી શ્રાવકે ભરાવેલી અમુક સ્થળે છે, તે મેળવી અને તેના સ્નાત્ર જળથી બધાને સાવચેત કર્યા અને જાગૃત થયેલા કૃષ્ણજીએ જરાસંધના અંત આણ્યા અને દ્વારકા ભારતવર્ષની રાજ્યધાની થઈ:—
દ્વારિકામાં કૃષ્ણજીની સલાહથી સમુદ્રવિજયજીની વિજ્ઞમિથી ઉગ્રસેને પેાતાની કન્યાનું સગપણ તેમનાથની ઇચ્છા વિના પણ બળજબ્ઝરીએ કબુલ કરાવ્યું, અને જાન લઈ જતાં પશુઓના પાકાર સાંભળી તેમને બચાવવા જાન પાછી ફેરવી અને પોતે સંવત્સરી દાન દઇને દીક્ષા દ્વારિકાના મધ્ય ભાગમાંથી નીકળી ગિરનારના સહસામ્રવનમાં લીધી.
પાંડવાની પત્ની દ્રુપદીને નારદના કહેવાથી પદ્મમાત્તર રાજાએ હરણ કરી તે દરિયા પાર હાવાથી દેવની સહાયથી કુંતીમાતાની પ્રાર્થનાથી કૃષ્ણજીએ પાછી લાવી આપી, પણ ત્યાં ગંગા ઉતરતાં પાંડવાએ નાવ ન મેાકલી, ખળની મશ્કરી કરવા જેવું કરવાથી કૃષ્ણજીએ તેમને પોતાની હદમાંથી નીકળી જવા કહ્યુ. અને છેવટે કુંતીની પ્રાર્થનાથો દક્ષિણમાં દરિયા કિનારે જવા કહ્યું અને ત્યાં મદુરા વસાવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org