SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતને પ્રાચીન જૈન તિહાસ. વસ્તુપાલે કરેલા ઉદ્ધાર—ખંભાતમાં સ. ૧૨૭૬ માં વસ્તુપાલ મહામાત્ય-પ્રધાન હતા. તેણે દિલ્હીના પાદશાહને પ્રસન્ન કરી તેની પાસેથી મમ્માણી ખાણુના પાંચ પત્થર લીધા, તે પત્થર શત્રુ ંજય ઉપર લઈ જઈ તેની પ્રતિમા કરાવી. ૪૪ સજ્જનસિંહ ઉર્ફે સાજણસિંહે—વિ. સ. ૧૪૨૪ માં શત્રુજય ઉપર તીર્થ પદસ્થાન કર્યું હતું. સજ્જનસિંહના પિતા સમરાશાહે સંવત ૧૩૭૧ માં નવી પ્રતિમા કરાવી ઉદ્ધાર કરાવ્યેા હતા. શાણાજ—વિ. સ. ૧૪૫૨ માં મોટા સંઘ કાઢી ‘સંઘપતિ' થઈ ગિરનાર તથા શત્રુંજયની યાત્રા કરી હતી અને ગિરનાર ઉપર નેમિનાથ પ્રાસાદના ઉદ્ધાર કર્યો હતો. કર્માંસાહ—(વિ. સંવત ૧૫૮૭) વસ્તુપાલ પછી સમરા શહે ઉદ્ધાર કરાવ્યે, પરંતુ તેણે નવા પત્થર આણી કરાવ્યા. એટલે વસ્તુપાલે આણેલા મમ્માણીાણુના પત્થરે ત્યાં ગુપ્ત રાખવામાં આવ્યા હતા. કોશાહે તે પત્થરોથી મૂર્તિ કરાવીને સ. ૧૫૮૭ ના વૈશાખ શુદિ ૬ ને રવિવારે પ્રતિષ્ઠા કરાવી. કર્માંશાહ ખંભાતમાં--ચિતાડના આસવંશ જ્ઞાતિના તાલા શાહના તે પુત્ર હતા. તે પ્રભાવક શ્રાવક સ્તંભતીર્થ આવ્યે. સ્ત ંભતીર્થવાસી જૈન સમુદાયે તેને મહાત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. સ્તંભનક પાર્શ્વનાથ અને સીમધર તીર્થંકર મંદિરના દર્શન કરી કર્માશાહ ઉપાશ્રયમાં ગયા. આ વખતે શ્રી વિનયમંડન પાઠક બિરાજતા હતા. તેમને હ પૂર્વક વંદન કર્યું; ખરઅંતર પૂછાયા બાદ કર્માશાહે પ્રશ્ન કર્યો કે મહારાજ ! આપે મને પહેલાં શત્રુજયના ઉદ્ધાર કરાવા સંબધી વાત કરેલી તેા તે ખાખત આપ મને સ્પષ્ટ આજ્ઞા આપો. પાકે સર્વની સમક્ષ કહ્યું કે “ અમારે તે કેવળ એટલુ જ કહેવું છે કે આપના કર્તવ્યમાં શીવ્રતા કરે. અવસર આવે હમે પણ હમારૂ કવ્ય બજાવીશું. પાંચ છ દિવસ રોકાયા પછી કોશાહ શત્રુંજયગિર ઉપર ગયા. તથી વિનયમંડન પાઠક તથા અન્ય સાધુ તથા સાધ્વીએ ત્યાં ગયા. ત્યાં મૂર્તિ તૈયાર થયા બાદ વિવેકમડનના ગુરૂ શ્રી વિદ્યામંડનસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. ઃઃ ?? આદિ ભા ૧ કર્માશાહની વિસ્તારથી હકીકત જાણવા ‘શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ ’ વાંચેા. કર્માશાહ ખંભાતને નહતા, પરંતુ તેણે કરાવેલા ઉદ્ધારની ગુરૂ આજ્ઞા ખ'ભાતમાં થયેલી હાવાથી તેને અત્રે ગગુાવેલા છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy