SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મંદિરોનું સ્થાપત્ય. ૧૩૭ ભાટવાડામાં આવેલું ખંભાતના સર્વ જૈન દેવાલમાં મણિરૂપ શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું જિનાલય છે. તેને પાંચ મેટાં શિખરે છે. બાજુ પર બીજા નાના શિખરે છે. આબુના-દેલવાડાના દેવળને જે જાતના શિખર છે તેવું શિખર ચેકસીની પળમાંના શ્રી વિમળનાથના મંદિરનું છે. તે શિખર એવી રીતનું છે કે નાના નાના પત્થર ગોઠવીને બનાવેલું છે; આવી જાતનું શિખર ખંભાતમાં એકજ છે. ભોંયર-આબુ કે કુંભારીયાના મંદિરમાં જોયાં નથી, પરંતુ બજારના ચિંતામણી પાર્શ્વનાથ, માણેકચોકમાં આદીશ્વરનાથ, અને વાઘમાસીની ખડકીમાં આવેલા મંદિરમાં ભેંયરાં છે, એ યરામાં મોટી પ્રતિમાઓ પધરાવેલી છે, હાલ ચિતામણી પાર્શ્વનાથ આદિના ભેંયરાંએમાં ઉતરવા માટે જુદી યેજના કરી સુધારા વધારા કરવામાં આવ્યા છે, પરંતુ તે પહેલાં ભયરામાં દર્શન કરવા જવાને એકજ માણસ ઉતરી શકે એવી નાની સીડી રાખેલી હતી; ઉપરથી એક નાની બારી હોય છે, તે એક કબાટ જેવી દેખાય કે જેથી કોઈ અજાણ્યા માણસ એકદમ ભેંયરામાં ઉતરવાને માર્ગ જાણી શકે નહિ. સત્તરમી સદીમાં થએલા પ્રખ્યાત પરી રાજીયા અને વજીયાએ બંધાવેલા તથા સેની તેજપાળના દહેરામાં (ઉપર જણાવેલા) આવી રચના કરી છે. ખંભાત પર અલ્લાઉદ્દીનના ભાઈ અલપખાને સ્વારી કરી ઘણુ મંદિરને નાશ કર્યો હતો તે ભયને લઈનેજ યરામાં પ્રતિમાજી પધરાવ્યાં હોય એ દેખીતું જ છે. ખંભાતમાં ભેંયરાવાળાં આ જૈન મંદિરે બેનમુન અને પ્રેક્ષય છે. માળ –જેન લેકમાં દેવળ ઉપર માળ ચઢાવવાનો રિવાજ છે. આબુ પર અચળેશ્વરના જૈન મંદિરને માળ છે. દ્વારકાના જગત્ દેવળને ઉપરાઉપરી આઠ માળ ચઢાવેલા છે; તેમ ભાટવાડામાં આવેલા વિશાળ મંદિરને ત્રણ માળ છે. તે સિવાય બે માળના બે ત્રણ મંદિરે છે. ચામુખછ –જેવી રીતે આબુના અચળેશ્વરમાં ચોમુખજી છે. તેવી રીતે ખારવાડામાં શ્રી મહાવીરસ્વામી, ચેળાવાડામાં સુમતિનાથ વગેરે છે. ભમતી:–મુખ્ય નાયક ઉપરાંત અન્ય તીર્થકરની પ્રતિમાઓ મુખ્ય નાયકના દહેરાની બાજુ પર જુદા જુદા ગેખમાં પધરાવેલી હોય છે. અમદાવાદના શેઠ હઠીસીંગના દહેરામાં, આબુ પર મંત્રીશ્વર વસ્તુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy