SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. તેની આસપાસ જે શ્રમણો હતા તે બંને સ્થળે એકઠા થયા. તેમના મુખે રહેલ આગમાદિ શાસ્ત્રોને આચાર્યોએ સાંભળ્યાં. બધાને સાંભળી તેમાં જેટલી ત્રુટિઓ શંકાઓ અને વિસ્મૃતિઓ થઈ તેનું યથાશકર્યો રીતે ને બહુજ પ્રામાણિકપણે સંશોધન કર્યું. તેને સમન્વય કર્યો. અનેક બહુ -વિદ્વાનોના મતે લઈ બહુજ સાવધાની પૂર્વક આ કાર્ય કરવામાં આવ્યું.” આ બાર વર્ષના દુકાલથી તેમને લાગ્યું કે –આપણું ઘણું ખરું જ્ઞાન ભુલાઈ ગયું છે. જે આમ ફરી દુકાળે થશે. પ્રકૃતિના પ્રકોપ થશે તો જગતનું કલ્યાણ કારી જૈન સાહિત્ય પૃથ્વી ઉપરથી હંમેશને માટે ચાલ્યું જશે, તેથી હવે તેની રક્ષા માટે વિશિષ્ટ જ્ઞાનને પુસ્તકોમાં પ્રામાણિકપણે શુદ્ધ લખી–લખાવી લેવું સારું છે. જેથી ભવિષ્યની પ્રજા આગમન સાહિત્યને જોઈ ભણ-પરિશીલન કરી શકે. એમ લાગવાથી સર્વાનુમતે સેંકડો વર્ષોથી મોટું રખાતા જૈન આગમ સાહિત્યને પુસ્તકમાં લખવાનું કાર્ય તડામાર ચાલ્યું. સેંકડે લહિયાઓ દ્વારા અસંખ્ય પ્રતે લખાવવા માંડી અને પુસ્તક ભંડારેની ચેજના થઈ. તે વખતે ઘણે ભાગે તાડપત્ર-ભાજપત્રાદિ ઉપર શાસ્ત્રો લખાતાં. આ જૈન સાહિત્યને પુસ્તક રૂપે થવાને ટુંકે ઈતિહાસ છે.” વળી આગળ તેઓ જણાવે છે કે “વિકમની ચોથી સદી સુધી તો જેન શાસ્ત્રોને પુસ્તકમાં લખવાની શરૂઆત થઈ ગઈ હતી અને દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં તે પ્રથાને ચોમેર પ્રચાર થઈ ગયો હતા.” આ સદી પછી જૈન સાહિત્યની વૃદ્ધિ અને પ્રચારને માટે પુસ્તકો લખવા અને લખાવાનું કામ ખુબ જેસભેર ચાલ્યું. પુસ્તકભંડારની પ્રાચીનતા–ઉપર જણાવી ગયા તેમ આર્ય સ્કન્દિલાચાર્ય અને નાગાર્જુનાચાર્યે વીર સં. ૮૪૦ (ઈ. સ. ૩૧૩) લગભગમાં જૈન આગમને પુસ્તકમાં લખવાની પ્રથા શરૂ કરી. પછી તે પુસ્તકને રાખવાના ભંડારેની સ્થાપના થવા લાગી. ખંભાતમાં તે ૧ જુઓ ગશાસ્ત્રની વૃત્તિ. ૨ ઉપદેશભૂત મૂલ સાહિત્યને 1 સક્રિય કહેવામાં આવે છે. તેવા મૂલ આગમ બાર છે. “માચાર, , ટા, સમવાનો વિવાજિત્તી, नायाधम्मकहाओ, उवासगदसाओ, अंतगडदसाओ, अणुत्तरोववाइअदसाओ, પાવાનર, વિપાકુબં, વિક્ટિવા” પાક્ષિક સૂત્ર. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy