SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થ બનાવવાની આ ક્રેપિટીશન ક્યાં જઈને અટશે ? એક સાવ સિમ્પલ લૉજિકની વાત મારે તમને કરવી છે. જો તમે તટસ્થ રીતે સત્ય સમજવા ઉત્સુક હશો તો મારી વાત તમારા ગળે તરત ઊતરી જશે. કારણે કે સત્ય તો સદાય સહજ, સરળ અને સુગમ હોય છે. જો વચ્ચે કોઈ સ્વાર્થી, દંભી ગુરુ પ્રવેશે નહિ તો સત્ય ઇઝીલી સમજાઈ જતું હોય છે. શાણા માણસને સત્ય સમજવામાં વાર લાગતી નથી. વાર તો જૂઠાણાંને અને પાખંડને સમજવામાં લાગે છે, કારણ કે એ જટિલ હોય છે. મને ઘણી વખત એક વિચાર આવે છે કે, આપણે મહાવીરને તીર્થંકર રૂપે આરાધીએ છીએ, ભજીએ છીએ. પ્રશ્ન એ છે કે મહાવીર કોની ભક્તિ કરીને તીર્થકર બન્યા હતા? કદાચ તેમની આગળના ત્રેવીસ તીર્થકરોની ભક્તિ એમણે કરી હશે. તો પ્રથમ (આદિ) તીર્થકર ઋષભદેવે કોની ભક્તિ કરી હશે? એ કોની ભક્તિ કરીને તીર્થંકર-પદ પામ્યા હશે ? કારણ કે એમની પૂર્વે તો કોઈ જ તીર્થંકર નહોતા ! ભગવાન ઋષભદેવ શું કોઈની ભક્તિ કરીને તીર્થકર બન્યા હશે ? પ્રથમ પરમાત્માએ કોનાં મંદિરો બનાવ્યાં હશે? કોની પ્રતિષ્ઠા કરાવી હશે? કોના નામના જાપ કર્યા હશે? કોના નામનાં રટણ કર્યા હશે? કોના નામનાં સ્તવનોસ્તુતિઓ રચ્યાં હશે ? . હિં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy