SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ તમને ખબર છે કે Jain Educationa International તમારા ભગવાન કેવા છે ? કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન બહેરો છે એટલે એ ભક્તોને ભક્તિ કરવામાં લાઉડસ્પીકરની ગરજ વધુ રહે છે. કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન ખાઉધરો છે એટલે જ્યારે જ્યારે મંદિરમાં જાય ત્યારે ત્યારે કંઈક ખાવાનું સાથે લેતા જ જાય છે અને મંદિરમાં મૂકતા આવે છે. કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે એમનો ભગવાન લાંચ-રુશ્વત ખાનારો છે એટલે ભગવાનની સામે ઊભા રહે છે ત્યારે ભગવાનને લાંચની લાલચ આપે છે. જેમ કે : ‘હે પ્રભુ ! તું જો આટલું કામ કરી દઈશ તો તને આટલા રૂપિયાની સુખડી (પ્રસાદ) ધરાવી જઈશ !' અથવા તો ‘હે દેવી ! તું જો મને આટલી સહાય કરીશ તો તને ચુંદડી ચઢાવી જઈશ.' વગેરે... કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન મૂરખ છે, આપણે જે માગીશું તે આપી દેશે ! એટલે કેટલાક તો ભગવાન પાસે ન હોય તેવું અથવા તો ભગવાને જેનો ત્યાગ કર્યો હોય તેવી ચીજો માગે છે, જેમ કે સંપત્તિ, સત્તા, સંતાન, ભૌતિક સામગ્રી વગેરે... કેટલાક ભક્તોને એવો વહેમ છે કે તેમનો ભગવાન ઊંઘણશી છે. મેં મારા મહાવીર, તાસ મહાવીર For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy