SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે મહાવીરે એમ કહ્યું કે તારું ચૈતન્ય એ જ પરમ તત્ત્વ છે... એનું અસ્તિત્વ ઉપર ક્યાંય નથી... એ તો તારા ભીતરમાં છે. સ્વયંનો સાક્ષાત્કાર થાય તો પરમાત્માનો સાક્ષાત્કાર બાકી રહી જતો નથી. સ્વયનો સાક્ષાત્કાર એ જ પરમનો સાક્ષાત્કાર. એ માટે ઉપર નહિ, અંદર જોવાનું મહાવીરે કહ્યું. મહાવીરે માત્ર જૈનો માટે જ કોઈ સત્ય કે કોઈ સિદ્ધાંતની સ્થાપના કરી નથી. જૈનો અમથેઅમથા મહાવીર ઉપર પોતાનો એકાધિકાર બતાવે છે. મહાવીર જન્મથી ક્ષત્રિય હતા. એમના શિષ્યોમાં બ્રાહ્મણ પણ હતા. શુદ્રોનો પણ તેમણે સહૃદયતાથી ઉદ્ધાર કર્યો હતો. ચંડકૌશિક નાગને પણ એમણે ઉગાર્યો હતો. આમાં એવી કઈ વાત છે કે જે માત્ર જૈનોને જ લાગુ પડે ? માટે જ હું કહું છું કે ભગવાન મહાવીર માત્ર જૈનોના જ હોય એમ હું સમજી કે સ્વીકારી શકતો નથી. મોતી કદીય કોઈ ખાબોચિયાનું હોઈ શકે જ નહિ... મોતી તો મહાસાગરમાં જ પાકે અને મરજીવા જ એને પામે. અને હવે બીજો મુદો. આજના તમામ જૈનો ભગવાન મહાવીરના અનુયાયી હોય તેવું પણ હું જોઈ કે સમજી શકતો નથી. જે મહાવીર જગતના સર્વ જીવોને સમાન સમજતા હતા એમના અનુયાયી હોવાનું ગૌરવ અનુભવતા જૈનો અંદર-અંદર ભેદભાવ કરે, વિભાજન કરે, વૈમનસ્ય બતાવે, પંથ-ફિરકાના કલહ કરે... તો એમને મહાવીરના અનુયાયી શી રીતે માનવા ? જે જૈન મહાવીરના નામે પણ એક થવા તૈયાર ના હોય તેમને ભગવાન મહાવીરના અનુયાયી માનવા એ તો બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવી વાત છે. વિચારભેદ અને મતભેદ પણ એવો રૂપાળો હોવો જોઈએ કે જેમાં બંને પક્ષનું ગૌરવ પ્રગટ થતું હોય. પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્ર મસ્તિષ્ક મળેલું છે. દરેક વ્યક્તિ પોતાના વિચારનો સ્વામી છે. વિચારભેદ એ ખરેખર તો ચિત્તની સજાગતા બતાવે છે. મડદાં પાસે ચિંતન કે વિચાર નથી હોતાં. જડ અને મૂરખ લોકો પાસે ચિંતન અને વિચાર ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ ચેતના હોય, પ્રજ્ઞા હોય, મસ્તિષ્ક હોય ત્યાં તો ચિંતન અને વિચાર હોય જ અને જ્યાં સ્વતંત્ર વિચાર હોય ત્યાં વિચારભેદ પણ હોય જ. એટલે વિચારભેદ અને મતભેદ છે . આ મારા મહાવીર, તાણ મહાવીરા 15 #spep Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy