SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાને મારી શકે તેને વીર ન કહેવાય, બીજાને બચાવી શકે એ જ સાચો વિર કહેવાય. કોઈની હત્યા કરવી એ કાંઈ મોટી વાત નથી, પરંતુ કોઈને પોષવું એ મોટી વાત છે. અહિંસાને જે લોકો કાયરતા સમજે છે, એ તો ગેરમાર્ગે દોડી રહેલા છે. આજે માણસ અત્યંત ભયભીત જીવન જીવી રહ્યો છે. તેની સામે આર્થિક, સામાજિક, વ્યાવસાયિક અનેક સમસ્યાઓ છે, પરંતુ એ તમામ કરતાં સૌથી મોટી સમસ્યા તો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની છે. હિંસાને કારણે પર્યાવરણ સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભાં થયાં.. પ્રદૂષણની સમસ્યા વિકરાળ બની... નૈતિકતાનાં મૂળિયાં હચમચી ઊઠ્યાં... આવી વિષમતાઓ અને વિટંબણાઓ વચ્ચે ઘેરાયેલો માણસ અભય શી રીતે રહી શકે...? જૈન ધર્મ કહે છે કે જો તમારે અભય બનવું હોય તો... તમારા અસ્તિત્વની સલામતી જોઈતી હોય તો તમે બીજા જીવોને અભય કરો, બીજા જીવોના અસ્તિત્વ સમક્ષ કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરો. અહિંસાને આપણે ધર્મ સાથે જોડી દઈને એક બહુ જ મોટી ભૂલ કરી બેઠા છીએ. કારણ કે એમ કરવાથી અહિંસાનું ક્ષેત્ર માત્ર ધર્મ પૂરતું જ સીમિત થઈ ગયું. અહિંસાને અસીમ કરવાને બદલે, તેને સીમિત કરી દેવામાં આવી, અહિંસા આપણા દૈનિક જીવન સાથે, આપણી પ્રત્યેક પ્રવૃત્તિ સાથે ભાવનાત્મક રીતે જોડી દેવી જરૂરી હતી. જેવી રીતે સવારે ઊઠીને ટૂથબ્રશ કરવું, સ્નાન કરવું, જીવનનિર્વાહ માટે વ્યવસાય કરવો, રાત્રે નિદ્રા લેવી વગેરે દૈનિક પ્રવૃત્તિઓને આપણે રોજિંદા જીવનક્રમ સમજીએ છીએ એવી જ રીતે અહિંસાને પણ આપણા દૈનિક જીવનક્રમ સાથે જોડી દેવી જોઈએ. મહાવીરનું અહિંસા-દર્શન ગ્રંથમાં આચાર્ય મહાપ્રજ્ઞજીએ એક પ્રકરણમાં માર્મિક વાત કરી છે : માણસ તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે, એવા ખ્યાલના આધારે તેના માટે કાંઈ પણ કરવાનું ક્ષમ્ય ગણી લેવામાં આવ્યું. વર્તમાન ચિકિત્સા ક્ષેત્રમાં લાખોકરોડો-મૂક-મૂંગા પશુઓની પરીક્ષણ માટે હત્યા કરવામાં આવે છે, શું આવી હિંસાના આધારે જીવતો માણસ અહિંસાના વિકાસની વાત વિચારી શકે ખરો ? શું માણસ અમર છે ? શું તે અમર રહેશે ? રોગોને રોકવા માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy