SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મહાવીરના સમ્યક્ દર્શનને સમજવા સમ્યક્ આત્મસૂઝ જરૂરી છે પાણી તરસને બુઝાવે છે અને ઠંડાં પીણાં તરસને બહેકાવે છે. સોનાનો ગિલેટ ભાવને ઘટાડી શકતો નથી, પણ તેનો વિકલ્પ જરૂર બને છે. એક સજ્જનને સજ્જન બનાવવામાં દુર્જનનો જેટલો ફાળો હોય છે તેટલો તો કદાચ એ સજ્જનનો પોતાનો ય નથી હોતો ! બધા લોકો સજ્જનો હોત તો કોઈ એકાદ-બેની સજ્જનતા માટે આપણને આટલો બધો આદરભાવ ન થાત ! માનવી અધ્યાત્મના સાત્ત્વિક આનંદથી જેટલો અલિપ્ત રહે છે, તેટલો તેના જીવનનો આનંદ પણ તકલાદી થતો જાય છે. ઘરમાં નવું એરકંડીશનર આવે છે ત્યારે સૌના ઉત્સાહમાં ગરમી આવી જાય છે. પરંતુ સમય વીતતો રહે છે તેમ, એ ઉત્સાહ ઠંડો પડતો જાય છે. ભૌતિક પદાર્થોનો આનંદ એવો ક્ષણિક હોય છે. ગીતાના તમામ અધ્યાયો કંઠસ્થ કરનાર કરતાં, તેનો એકાદ અધ્યાય આચરણમાં ઉતારનાર મહાન છે. ટેપરેકૉર્ડર ગમેતેટલાં સુંદર ગીતો રજૂ કરે, તો ય શ્રેષ્ઠ ગાયકનો એવૉર્ડ તેને મળી શકતો નથી. ધર્મ એ ગોખવાની ચીજ નથી, જીવવાની ચીજ છે આ સત્ય આપણને સમજાઈ જાય તો અત્યાર સુધીમાં આપણે જે પુરુષાર્થ (કે ઉધામા ?)કરી ચૂક્યા છીએ તેનો માત્ર અફસોસ જ 60 - મારા મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy