SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ એ મહાવીરને ગમતું હશે ખરું? સ્તવનમાં આપણે એક પંક્તિ ઘણી વખત ગાઈએ છીએ કે, “પ્રભુ, તારા જેવા મારે થાવું છે... મહાવીર જો ઉપસ્થિત થાય તો આપણને પૂછશે, “આ બધા ઠઠારા અને આડંબર કરીને તમે મારા જેવા કેવી રીતે થઈ શકશો ?' આપણી પ્રત્યેક ક્રિયા વટ પાડવા માટેની હોય છે એટલે વિવેક ચૂકી જવાનું સાવ સહજ છે. જીવદયા માટે લાખો રૂપિયાનું દાન આપનારો દાનવીર શ્રીમંત પોતાની પેઢી ઉપર પ્રામાણિક પરસેવો પાડતા કર્મચારીને થોડોક પગાર વધારી આપવામાં ગલ્લાં-તલ્લાં કરે છે ! કારણ કે જીવદયા માટે જાહેરમાં દાન આપવાથી યશ-પ્રતિષ્ઠા મળે છે. દંભી ગુરુની નિશ્રામાં શાલ અને શ્રીફળ દ્વારા પોતાનું બહુમાન થાય છે. આપણા કર્મચારીને પગારવધારો આપવાથી યશ (જાહેરમાં) નથી મળતો ! મહાવીર આપણી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરે તો પછી કેવો નિર્ણય કરે? એ સામે ચાલીને કદાચ કહી જ દે કે, ‘તમે આ રીતે મારું નામ વટાવશો નહિ, વટલાવશો નહિ ! મારે તમારા તીર્થકર પદેથી રાજીનામું આપી દેવું છે ! પ્લીઝ, તમારું ધાર્યું કરવા માટે તમે મારા સિદ્ધાંતોને ખંડિત કરશો નહિ ! હે ભોળા ભક્તજનો ! મારી વાણી સમજવા માટે તમારે પાખંડી સાધુઓના પગ પકડવાની જરૂર નથી. એ લોકો તો એમના પોતાના અહંકાર માટે તમને મારા નામે મીસગાઈડ કરી રહ્યા છે. મેં તો કહ્યું જ છે કે “અપ્પો દીવો ભવ”એટલે કે તું સ્વયં તારો દીવો થા. ઉછીનાં અજવાળાં ગોતવાની તારે જરૂર નથી. તું સ્વયં મહાવીર જ છે ! માત્ર આત્મસાક્ષાત્કારની નિષ્ઠા જગાડ !' આપણે આટલું કરી શકીશું ખરા ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy