SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામે પોતાની જ સંકુચિતતાઓમાં એ ગૂંગળાયા કરે છે. મોક્ષની વાતો કરવાથી મોક્ષનો સાક્ષાત્કાર ન થાય. “મહાવીર જન્મકલ્યાણક' દર વરસે આવે છે. આપણે એક દિવસ માટે ભારે ઉત્સાહમાં આવીને ઉત્સવને ઊજવી લઈએ છીએ. બીજા દિવસથી વળી પાછા આપણી “માયા'માં પડી જઈએ છીએ. મહાવીર જન્મકલ્યાણકની સાચી ઉજવણી આત્માની દુવૃત્તિઓનું પરિમાર્જન કરવામાં છે. ભગવાન મહાવીર તો શત્રુ પ્રત્યે ય વહાલ કરવાનું કહી ગયા છે. આપણે તો સ્વજનો અને મિત્રો સાથે ય સ્વાર્થનાં પલાખા માંડીએ છીએ. આપણને મહાવીર જન્મકલ્યાણક ઊજવવાનો હક્ક શી રીતે મળે ? એક વખત અભયકુમારે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, “હે પ્રભુ! શ્રેષ્ઠ કોણ, સાધુ કે ગૃહસ્થ ?' ભગવાને કહ્યું, “હું તો સંયમને શ્રેષ્ઠ સમજું છું. જો કોઈ ગૃહસ્થજીવનમાં રહીને, સંસારીજીવન જીવીને પણ ઉત્તમ સંયમ નિભાવે તો તે સાધુ જેટલો જ શ્રેષ્ઠ છે, વંદનીય અને પૂજ્ય છે. જો કોઈ સાધુ સંયમવ્રત સ્વીકાર્યા પછી ય અસંયમી બની જાય તો તે કોઈ રીતે શ્રેષ્ઠ નથી. માત્ર માથું મૂંડાવવાથી શ્રમણ (સાધુ) બનાતું નથી. સંયમ અને ચારિત્ર્યનો ઉત્તમ ભાવ ચરિતાર્થ થવો જોઈએ.” ભગવાન મહાવીરે અપરિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિના જે સૂક્ષ્માર્યો આપ્યા છે તે અપૂર્વ છે. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે સ્ત્રી ઉત્કર્ષની વાત કરી હતી. ભગવાન મહાવીર એક સામાન્ય માનવીની જેમ જન્મ્યા અને સાધનાનાં સોપાનો સર કરતા રહીને પરમ પદને પામ્યા. અન્ય અવતારી દેવો પૂજ્ય હોવા છતાં સામાન્ય માનવી માટે આદર્શ નથી બની શકતા. ભગવાન મહાવીરે જગતને સમજાવ્યું કે જીવમાત્ર આત્મસાધના, મૈત્રી અને માંગલ્ય દ્વારા પરમપદ સુધી પહોંચી શકે છે. ક્ષત્રિયકુંડમાં જન્મ અને પાવાપુરીમાં નિર્વાણ - આ બે ઘટનાઓની વચ્ચેનું ભગવાન મહાવીરનું જીવન એટલે જલતો દીપક. અને એ દીપકનાં શાશ્વત ઓજસ આગામી સદીઓ સુધી વિશ્વને વહાલ અને અહિંસા અને ક્ષમા અને અપરિગ્રહ અને માંગલ્યનું અમૃત બક્ષશે. ભગવાન મહાવીરનાં ચરણોમાં ભાવભરી વંદના. 46 મારા મહાવીર, તાસ મહાવીર અ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy