SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયપરિવર્તનની છે. દુષ્ટ વૃત્તિઓ ન બદલાય તો માનવી કાલ્પનિક રીતે પણ પાપકૃત્યો આચર્યા કરે છે. ભગવાન મહાવીરનો શિષ્યસમુદાય અત્યંત બૃહદ્ હતો. તેમાં ગણધર ગૌતમ અને ભગવાન મહાવીર વચ્ચેના અસંખ્ય સંવાદોમાં જિજ્ઞાસા અને તેના ઉત્તરો મળે છે. એક વખત ગણધર ગૌતમે પૂછ્યું : ‘પ્રભુ ! જીવ શેનાથી ડરે છે ?’ ‘જીવ દુ:ખથી ડરે છે.' ‘દુ:ખોનો કર્તા કોણ છે ?’ ‘જીવ.’ ‘દુઃખનું કારણ શું છે ?’ ‘પ્રમાદ.’ ‘તો પછી હે પ્રભુ, દુઃખોનો અંત કોણ લાવી શકે ?’ ‘જીવ પોતે જ !’ ‘દુઃખોના અંતનો ઉપાય શો ?' ‘અપ્રમાદ...’ આ સંવાદમાં ભગવાન મહાવીર અપ્રમાદને સઘળાં દુઃખોનું નિરાકરણ બતાવીને કહે છે કે ભય અને દુઃખ પ્રમાદ દ્વારા જ જાગે છે. એક પળનોય પ્રમાદ ન કરો. પ્રમાદ એટલે આળસ. ભગવાન મહાવીર જાગૃતિના એવા શિખર ઉપર આરૂઢ હતા કે જ્યાં આત્મા સ્વયં પરમાત્મા બની રહે છે. ‘જાગૃતિ એ જ પરમ સાધના છે, એવો જીવનમંત્ર ભગવાન મહાવીરે પોતાના આચરણ દ્વારા જગતને આપ્યો. આત્મજાગૃતિ આવે તો પછી અનેક ગુણો ત્યાં પાંગરે છે. ભગવાન મહાવીરને તેમની ઉગ્ર સાધના દરમ્યાન સંગમે અનેક અંતરાયો કર્યા હતા. પ્રભુને પારવાર કષ્ટો આપ્યાં હતાં. પણ પ્રભુ કદીય વિચલિત થયા નહોતા. છેવટે થાકીને સંગમ, પ્રભુ પાસે આવીને ક્ષમા માગે છે. એ ક્ષણે પ્રભુની આંખમાંથી આંસુ વહી આવે છે. સંગમ વિસ્મયથી પૂછે છે, ‘હે પ્રભુ ! આજપર્યંત મેં આપને અગણિત મારા મહાવીર, તારા મહાવીર 39 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy