SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ન કરો. ઉદ્યમ અને પ્રામાણિક પુરુષાર્થ દ્વારા મબલક કમાણી કરવામાં કશું જ ખોટું નથી, પણ એનો સતત સવ્યય કરતા રહેવું જોઈએ. પરિગ્રહ ન કરવો જોઈએ. પોતાની જરૂરિયાતો સતત ઘટાડતા રહીને, સંયમપૂર્વક જીવવામાં અનિવાર્ય જણાય તેટલું રાખીને વધારાનું હોય તેનો દાનમાં, સમાજહિતમાં વ્યય કરવો જોઈએ. “અલ બાલસ્ટ સંગેણં” અર્થાત્ બાળકબુદ્ધિના (મૂર્ખ, નાદાન, અજ્ઞાની, અયોગ્ય) માણસનો સંગ કદી કરવો નહિ. મહાવીર જાણતા હતા કે, સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. તેથી હંમેશાં સજ્જનો અને ચઢિયાતા લોકોનો જ સંગ કરવો જોઈએ એમ તેમણે ઉપદેશ્ય. આવાં તો અઢળક વિચારમોતી, મહાવીરવાણીમાંથી મળે છે. એમાં ક્યાંય કોઈ સાંપ્રદાયિક વાત નથી. “જીવો અને જીવવા દો દ્વારા મહાવીરે કરેલી “અહિંસાની વાત આજના યુગમાં સૌથી વધુ પ્રસ્તુત છે. મહાવીરે અહિંસાના જે સૂક્ષ્મ અને ભવ્ય અર્થ આપ્યા છે, તે જોતાં હું તો ભગવાન મહાવીરને બીજું કોઈ નામ આપવું હોય તો ભગવાન અહિંસા' જ કહું. અહિંસા અને મહાવીર વચ્ચે સો ટચનું અદ્વૈત છે. કડકડતી છે . . ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy