SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ બધા ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી દીધા કે એમના સુધી પહોંચવાનું આપણા માટે કપરું થઈ ગયું. મહાવીરને આપણે સ્વજન બનાવી શક્યા હોત તો કદાચ આપણે એમનાથી આટલા દૂર ચાલ્યા ગયા ના હોત. સ્વજન સદાય આપણી સાથે રહે, આપણને માર્ગદર્શન આપે, આપણને હૂંફ આપે, આપણા મનમાં કોઈ અનિષ્ટને પ્રવેશવા જ ન દે ! પરંતુ મહાવીરને આપણે તીર્થકર અને પરમાત્મા બનાવી દીધા. બહુ અંતર પડી ગયું. મહાવીર તો સામાન્ય માણસની જેમ જ માતાના ગર્ભમાં રહીને જન્મ પામ્યા હતા, એ કોઈ અવતારી પુરષ નહોતા. એમણે લગ્ન પણ કર્યા હતાં. એમને એક પુત્રી પણ હતી. જમાઈ પણ હતો. રાજસુખ ભોગવતો પરિવાર હતો. માતા-પિતાના અવસાન પછી દીક્ષા લેવા માગતા મહાવીરે મોટા ભાઈની લાગણીનો આદર કરીને દીક્ષા લેવામાં પ્રતીક્ષા પણ કરી હતી. અનેક કષ્ટો વેઠીને તપ-ત્યાગ અને સાધના એ કરતા રહ્યા હતા. અહીં સુધી તો કશું ય અસાધારણ હતું જ ક્યાં ? મહાવીરને માપવાની મથામણમાં પડી જઈને આપણે મહાવીરને પામવાનું ચૂકી ગયા છીએ. મહાવીરે સાધના દ્વારા જે સિદ્ધિઓ મેળવી, જે જ્ઞાનનું ઉપાર્જન કર્યું તેના ઉપર પણ પોતાની માલિકીભાવ રાખવા એ તૈયાર નહોતા. એટલે જ તો ખુલ્લા પગે, ટાઢ-તાપ વેઠીને ફરતા રહ્યા... ગામ-ગામ વિચરતા રહ્યા અને સંસારને પોતાના જ્ઞાનની લહાણી કરતા રહ્યા...! જો એમને ઉચ્ચ પદે બેસી જવું હોત તો, એ શા માટે સંસારમાં લોકોને મળવા - તેમને ઉપદેશવા ચાલ્યા હોત ? પોતાને જે કાંઈ ઉપલબ્ધિ થઈ એને એ વહેંચવા નીકળ્યા હતા. એ તો આપણા સ્વજન બની રહેવા ઝંખતા હતા. પરંતુ આપણે જ એમને પરમાત્મા અને તીર્થકર બનાવી દીધા! કદાચ, એમના ઉપદેશને ઝીલવાની પાત્રતા આપણામાં નહોતી. વાત આટલેથી અટકી હોત તો ઠીક હતું – મહાવીર કદાચ આપણો એટલો દોષ માફ કરી પણ દેત. પરંતુ આપણે મહાવીરના સિદ્ધાંતોનું મનઘડંત અર્થઘટન કરીને વિવાદો આ જ મારા મહાવીર, તારણ મહાવીર a Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy