SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ દુઃખ વેઠવું એ પુણ્ય નથી, સુખ ભોગવવું એ પાપ નથી સુખ ઝંખતા માણસને આપણે ‘પાપી’ કહીને અમથા અમથા વગોવતા રહીએ છીએ. કોઈ વ્યક્તિ મોટર-બંગલાનું સુખ ઇચ્છે તો તેને આપણે ભૌતિકવાદી કહીને એનો અનાદર કરીએ છીએ. એ જ રીતે કોઈ માણસ સુખનો વિરોધ કરે, એકાંત-વાસમાં રહે તો એને આપણે કશાય કારણ વગર અહોભાવથી મહાત્મા' કહીને તેનો આદર કરવા લાગી જઈએ છીએ. સુખ એટલે પાપ અને દુઃખ એટલે પુણ્ય એવું સમીકરણ આપણી સમજણને અવરોધીને બેઠું છે. ‘બે રોટી અને એક લંગોટી' સિવાયનું બીજું બધું મિથ્યા છે, વળગણ છે, મોપ્રેરિત છે. એનાથી બચવું જોઇએ, એવી ગેરસમજ આપણને મિથ્યા ચિંતનની ઊંડી ખાઈમાં ધકેલતી રહે છે. જગતના સઘળા માણસો ત્યાગી-વૈરાગી થઈ જાય એવી અપેક્ષા રાખવી એ ભ્રમણા છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે, ભૌતિક સુખો શાશ્વત નથી હોતાં. મોટર-બંગલા વગેરે મૃત્યુ પછી સાથે નથી આવતાં. બધું અહીં જ મૂકીને જવું પડે છે. આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાનું છે એટલે ભૌતિક સુખો પાછળ ભટકવાની જરૂર નથી ! મારો પ્રશ્ન એટલો જ છે કે, ખાલી હાથે આવ્યા (જન્મ) અને ખાલી હાથે જવાનું (મૃત્યુ) એ બે ઘટનાઓ મારા મહાવીર, તારા મહાવીર 101 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy