SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન ૧૨ - તિલોકમાં રહેલા હીપ-સમુદ્રોના નામ શું છે? ઉત્તર - (૧) જંબુદ્વીપ (ર) લવણ સમુદ્ર (૩) ધાતકી ખંડ કીપ (૪) કાલોદધિ સમુદ્ર (૫) પુષ્કરવર દ્વીપ (૬) પુષ્કર સમુદ્ર () વરૂણવર દ્વીપ-સમુદ્ર (૯-૧૦) ક્ષીરવર દ્વીપ-સમુદ્ર (૧૧-૧ર) ધૃતવર દ્વીપ-સમુદ્ર ( ૧૧૪) ઈશ્કવર દ્વીપ-સમુદ્ર (ક્ષોદવર દ્વીપસમુદ્ર) (૧પ-૧૬) નંદીશ્વર દ્વીપ-સમુદ્ર ત્યાર પછી ત્રિપ્રત્યવતાર છે. ( ૧૧૮) અરૂણદ્વીપ-સમુદ્ર (૧૯) અરૂણવર હીપ-સમુદ્ર ( ૨૨૧) અરૂણવરાવભાસ દ્વીપ-સમુદ્ર આ રીતે જેટલા પણ શુભપદાર્થોના નામો છે તે તે નામના ત્રિપ્રત્યાવતારી અસંખ્યદ્વીપ-સમુદ્રો છે. ત્યારબાદ છેલ્લે દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ દ્વીપ અને સમુદ્ર એક-એક રહેલ છે. સૌથી અંતમાં અર્ધા રાજુ ક્ષેત્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર રહેલ છે. પ્રશ્ન ૧૩ - આ બધા હીપ-સમુદ્રોના નામની શું વિશેષતા છે? ઉત્તર - (૧) આ બધા દ્વીપ-સમુદ્રોના નામ શાશ્વતા છે. (૨) બધા નામ ગુણનિષ્પન્ન છે. (૩) તે તે નામના તે દ્વીપ-સમુદ્રોના અધિષ્ઠયક દેવો છે. એક ફક્ત જંબૂદ્વીપના અધિષ્ઠાયક અનાદત' નામના દેવ છે. અને લવણ સમુદ્રના અધિષ્ઠયક “સુસ્થિત’ નામના દેવ છે. બાકી બધા હીપ-સમુદ્રોના નામ પ્રમાણે જ તે દેવોના નામ છે. તે બધા દેવો એક પલ્યોપમની સ્થિતિવાળા તથા ભવનપતિની જાતિના છે. પ્રશ્ન ૧૪ - તિલોકની મધ્યમાં સૌથી પ્રથમ ક્યો દ્વિીપ છે? ઉત્તર - તિÖલોકની મધ્યમાં સૌથી પ્રથમ જંબુદ્વીપ છે. તે બધાં દ્વીપસમુદ્રોમાં પ્રથમ અને સૌથી નાનો છે. પ્રશ્ન ૧૫ - જંબૂદ્વીપનો આયામ-વિખંભ (લંબાઈ-પહોળાઈ) કેટલો છે? ઉત્તર - જંબૂઢીપનો પૂર્વ-પશ્ચિમ આયામ (લંબાઈ) અને ઉત્તર દક્ષિણ વિધ્વંભ (પહોળાઈ) એક લાખ યોજન છે. પ્રશ્ન ૧૬ - જંબૂદ્વીપની પરિધિ કેટલી છે? ઉત્તર - જંબૂઢીપની પરિધિ ૩ ૧૬, રર૭ (ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીશ) યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ્ય અને ૧૩ અંગુલથી કંઈક અધિક છે. એટલે ત્રિગુણાધિક પરિધિ હોય છે. પ્રશ્ન ૧૭ - પરિધિ એટલે શું અને તેને કાઢવાની રીત શું છે? ઉત્તર - પરિધિ = કોઈપણ વૃત્ત (ગોળ) વસ્તુ હોય તેના એક છેડથી શરૂ કરીને બીજા છેડા સુધીના (ગોળાકાર) ક્ષેત્રને (તેની લંબાઈન) પરિધિ કહેવાય છે. પરિધિના ગણિતની રીત = (૧) રર/૭ X વ્યાસ (વિખંભ) = પરિધિ (૨) રર/૭ ૪ ત્રિજ્યા X ૨ = પરિધિ વ્યાસ = મધ્યબિંદુથી પસાર થઈ પરિધિના એક છેડાથી નીકળતી બીજા સામા છે ને સ્પર્શતી રેખાને વ્યાસ એટલે વિખંભ કહેવાય. ત્રિજ્યા = વિખંભના અર્ધા ભાગને ત્રિજ્યા કહેવાય. શાસ્ત્રીય રીતે પરિધિ કાઢવાની રીત - લંબાઈ x પહોળાઈ X ૧૦ = જે સંખ્યા આવે તેનો વર્ગમૂલ કાઢવાથી પરિધિ આવી જાય ઘ.ત. જંબુદ્વીપ એક લાખ યોજનાનો છે. તો એક લાખ X એક લાખ x ૧૦ = જે સંખ્યા આવી તેનો વર્ગમૂલ કાઢવાથી __[ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (83)] જ કવવાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005345
Book TitleSachitra Jain Tattvadarshan Part 02
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherJain Darshan Prakashan
Publication Year
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy