SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ || વટસાવિત્રી [] જેઠ સુદ પૂર્ણિમા જેઠ મા સ વટસાવિત્રી વ્રત [જેઠ સુદ પૂર્ણિમા] સાવિત્રી એટલે સ્ત્રી સાધનાની પરાકાષ્ઠા. સતી સાવિત્રીના નામથી કેણું અજાણ હશે? ધોમ ધોમ ધગધગતી ધરતીવેળાએ “વટસાવિત્રી વ્રતને ઉત્સવ આવે છે અને સાવિત્રીનું શીળું હીમ જેવું ચરિત આપણું સવંતાપને શમાવી દે છે. વડની સ્મૃતિ એની સાથે જોડી દેવાનાં ઘણાં કારણો હોઈ શકે? (૧) વડ એવું વિશાળ અને ઘટાદાર વૃક્ષ છે કે જ્યાં ઉનાળાની ઋતુમાં તાપ સહેજે ન લાગે. (૨) વટવૃક્ષ ચિરંજીવ પણ છે. એટલે સાવિત્રીએ પોતાના પતિને ચિરંછવીપણું અપાવેલું તેનું સ્મરણ પણ તાજું થાય. (૩) ગીતાના અશ્વત્થ વૃક્ષનો અર્થ પણ વડ થઈ શકે એટલે જેનાં ઊંચેથી મૂળિયાં નીચે જાય એવા સંસારનું વડની વડવાઈઓને લીધે સાચું સ્વરૂપ પણ સમજાય. સાવિત્રીએ પણ આવા સંસારનું રહસ્ય મેળવી લીધું હતું. તેથી જ તે પતિની ખાતર ભરવા ખુશીથી તૈયાર થઈ શકી હતી. આપણે ત્યાંનાં પર્વો કે તહેવારે ખાઈપીને ઉન્મત્ત થઈ ગાનતાનના જલસા ઉડાવવા નથી, પણ પર્વના કેન્દ્રમાં ભૂતકાળના આપણું પૂર્વજોનો આદર્શ આપણું જીવનમાં ઉતારવાની પ્રેરણું ભરે છે. કાકા કાલેલકરે “તહેવારો સાથે “જીવતા વિશેષણ બંધ બેસતું જ આપ્યું છે. . Y Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy