SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ શિવાજીની સ્મૃતિ [ ફાગણ વદ ૩] શિવાજીનું નામ લેતાંની સાથે જ મારે મન એક આદર્શ રાજતંત્રવાહકનું ચિત્ર ખડું થાય છે. ધર્મ સત્તાની દોરવણી નીચે રાજસત્તા ચાલવી જોઈએ અને તે જ તે સ્વચ્છ રહે, લોકશાહીને ન્યાય આપી શકે તથા લેકશાહીને વિકસાવી શકે. . શિવાજી જવાબદાર રાજતંત્ર જ નહિ બલકે પ્રજાતંત્રના સુયોગ્ય સંચાલકનું પ્રતીક હતો: પણ શિવાજીને પ્રજાએ નહોતે ઘડે, પ્રજાના પ્રાણેશ્વર સંન્યાસીએ ઘડે હતે. સમર્થ અને એના સાધુઓ એક તરફ પ્રજામાં શિવાજીની જીવનચર્યા અને પ્રવૃત્તિઓ પાછળના આદર્શને શુદ્ધભાવે પ્રચાર કરતા હતા અને બીજી તરફ શિવાજી આગળ પ્રજાના આંતરનાદનો સંદેશો પહોંચાડી તેને માર્ગદર્શન આપતા હતા. એકલો શિવાજી લોકશાહી ની સ્થાપી શકત. એકલા સાધુ સંન્યાસીઓ લોકશાહીને ન ન્યાય અપાવી શકત. બ્રાહ્મત્વ અને ક્ષત્રિયત્ન બન્નેના સુયોગે રાષ્ટ્રને આત્મા અને રાષ્ટ્રનું શરીર બને સચવાય છે. ભારતને આંગણે આજે ભારે સુંદર તક છે. રાજ્યતંત્રના વાહકે અત્યંત સુયોગ્ય છે. માત્ર ખામી છે પ્રજા અને તંત્ર-વાહક વચ્ચેની કડી સાંધનાર સાચા સેવકોની. એવા સેવકે નથી જ એમ તો ન કહી શકાય. પણ બહુ ઓછા છે. આપણુ દેશમાં સાધુસંન્યાસીઓ ઘણું છે. પરંતુ કેટલાક રાજકારણથી નિલેપ રહે છે, કેટલાક સાચા અર્થમાં સાધુસંન્યાસીએ જ નથી. સમર્થ જેવા કડી સાંધનાર સેવકોની આજે ખૂબ જરૂર છે અને તે સાધુસંન્યાસી વર્ગમાંથી સહેજે સાંપડી રહે તેમ છે. જરૂર છે ધર્મકારણના સિંધુ સાથે રાજકારણના અખાતને મેળવવાની. ગાંધીજીએ ચમાં અને દશ્ય બને મૂક્યાં છે. આ પર લગાડી દેવાની ખામી આપણે સૌએ મળીને પુરી કરવાની છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy