SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન હોય તેની તાત્વિક ચર્ચામાં પડ્યા વિના સંતબાલજી મહારાજે– ધમ અમારે એક માત્ર એ સર્વ ધમ સેવા કરવી દયેય અમારું છે વત્સલતા વિથ મહીં એને ભરવી. એ ચરણમાં સર્વધર્મના આચારને સારા સુંદર રીતે ગૂંથી લીધો છે. તેને જે આચરીએ તે આપણું ચારિત્રની સુવાસથી જ આપણું પ્રયોગક્ષેત્ર મઘમઘી રહે. આ ચારિત્ર પાલનમાં દરેક ધર્મના આદર્શ પુરુષોનું જીવન આપણને પ્રેરણું આપતું રહે તે દૃષ્ટિએ દરેક ધર્મના પ્રાણુ પુરુષના પ્રગટ ગુણને ગ્રહણ કરનારી પ્રાણિમાત્રને રક્ષણ આપ્યું” વાળી પ્રાર્થના પણ આપણને બળ આપનારી થઈ પડશે. આમ આ દિવસ શુભ સંકલ્પ, શુભત્રાપાલન, અને શુભપ્રાર્થનાથી ઉજપીએ. આ ઊજવણી શુષ્ક ન બની રહે પણ આનંદ અને ઉત્સાહની વૃદ્ધિ કરનારી અને તે માટે સમૂહ ભોજન, સમૂહ ચર્ચા, સત્સંગ અને સામૂહિક સંકલ્પ દ્વારા સામૂહિક નેતૃત્વ અને ગુણવૃદ્ધિના કાર્યક્રમો અને જે શુભ અને સત્કાર્ય થયું હેય તેનું પ્રકાશન અને પ્રદર્શન જી વ્યક્તિ તથા સમૂહને આધ્યાત્મિક તેમ જ નૈતિક પુષ્ટિ મળે તેવી રીતે આ દિવસ ઉજવી સૌને પ્રોત્સાહન આપીએ. સાથેસાથ જે પુરુષના પ્રયોગ નિમિત્તે આ દિવસની ઉજવણી કરીએ છીએ તે પુરુષ અને તેના જેવા પ્રયોગો કરનાર અન્ય કૃતિ સપુરુષો આપણા સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ અંગે જે અરમાને સેવે છે, આશાઓ રાખે છે અને પ્રયાસો કરે છે તેને અભ્યાસ કરી આવતા વર્ષ માટે કાર્યક્રમ અને આયોજનને આછો આલેખ પણ કરી લેવો જોઈએ. એ દષ્ટિએ વિનોબાજી અને સંતબાલજી જેવા ક્રાંત સંતે ગાંધીજીના સત્યના પ્રયોગોની પરંપરાને કેવી રીતે વિકસાવી તેનું સંવર્ધન કરી રહ્યા છે અને આપણી પાસે કેવી આશા રાખી રહ્યાં છે તેને આપણે કેવી રીતે ચરિતાર્થ કરી શકીએ તે અંગે મને જે સૂઝે છે તે તમારી પાસે રજૂ કરું છું. સંત તરફની ચાદરભક્તિ પુષ્ટ કરે સંતબાલજી અને વિનોબાજીની અધ્યાત્મ સાધના કેવળ વ્યક્તિગત મુક્તિ પૂરતી નથી જણાતી. પણ વ્યક્તિ–સમષ્ટિના ધર્માનુબંધથી વિકસિત અને પ્રવૃત્તિ-નિવૃત્તિના સુયોગથી ગ્રથિત સર્વાગી જીવનવિકાસની સાધના છે. સંતબાલજી કહે છે કે માબાપનું વિશુદ્ધ વાત્સલ્ય જેમ ભાઈ બહેન વચ્ચે પવિત્રતા, ઉદારતા, નિર્દોષતા અને સરલતા વધારે છે તેમ સંતનું નિર્મળ અને વિશ્વવત્સલ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy