SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષિણિણણણણણણણણણણણણણણણ છે જેથી જાવાલમાં શાંતિ થઇ. પરંતુ જીરાવલીમાં તો ગતાનુગતિક શરમુંડનની હૈ આ નવી પ્રથા શરૂ થઈ હતી. વખત જતાં આ સ્થાને તીર્થ તરીકે ખ્યાતિ મેળવી, એટલે અધિષ્ઠાયક એ દેવના કહેવાથી જૈન સંઘે નવખંડી જીર્ણમૂર્તિ સિંહાસનની જમણી બાજા સ્થાપીને મધ્યભાગમાં પાર્શ્વનાથની નવી મૂર્તિ પધરાવી હતી. પરંતુ પ્રથમ નમસ્કાર અય્યર્પણ ધ્વજા અને શીરોમુંડન તો જુની દાદાપાર્શ્વનાથની મૂર્તિની સન્મુખ થતા હતા. આ તીર્થ અત્યારે પણ મારવાડમાં દીપી રહ્યું છે * નવખંડા પાર્શ્વનાથ-ઘોઘા. કાઠિયાવાડમાં ભાવનગરથી છ કોશ દુર ઘોઘા બંદર છે, ત્યાં નવખંડા પાર્શ્વનાથની મૂર્તિ છે. તે જિનબિંબની અંજનશલાકા અજીતસૂરિના સમકાલીન મહેન્દ્રસૂરિના ઉપદેશથી સંવત ૧૧૬૮માં શ્રીમાળી નાણાવટી હીરૂએ કરાવેલ તેના નવખંડ થવાનો ઇતિહાસ અમુક અંશે જીરાવલાપાર્શ્વનાથના બનાવ સરખો જ છે. * જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિઓ નીચેના ગામોમાં છે. ૧ જગન્નાથપુરીમાં જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની અદ્દભુત પ્રતિમા છે. છે (તેના ચિત્ર ઉપરથી તો તે આદિનાથ પ્રભુની હોય એમ જણાય છે.) શંકરાચાર્યજીના વખતમાં આ મંદિર તથા મૂર્તિ વૈષ્ણવ સમાજના કબજામાં જવાથી ત્યારથી તે વૈષ્ણવ તીર્થ તરીકે ખ્યાતિ પામ્યું છે. ઘાણે રાવ, શીરોહી જીલ્લાનું જીરાવલી, આબુ પાસેનું જીરાવલ, નાંદોલ, છે અને જોટાણા પાસે બલોલ; આ દરેક ગામોમાં જીરાવલા પાર્શ્વનાથનું મંદિર છે. જૈન સમાજમાં પ્રતિષ્ઠા, વૃધ્ધસ્નાન, લઘુ શાંતિસ્નાત્રા વિગેરે દરેક માંગલિક કાર્યમાં શ્રીજીરાવલાપાર્શ્વનાથાય નમો નમ: એ મંત્રની અવશ્ય અગત્યતા રહે છેછે ખાસ જરૂર પડે છે. (૨) ನಾಣಿನಿಗಿನಿಗಣಿತನನನನನನನನನನಿತಿನ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005337
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorMahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1994
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy