SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ANNNNNNNNNNN PAPAPARIR આ તીર્થ અત્યારે દક્ષિણમાં વિખ્યાત છે પણ દરેક પ્રદેશમાં તેની જોઇએ તેવી પ્રસિદ્ધિ દેખી શકાતી નથી. આ મૂર્તિ કેસરીયાજીની પ્રતિમા સર્દેશ છે. અવંતિપાર્શ્વનાથ ઇ. સ. પૂર્વે ૨૯૦ વર્ષે ઉજ્જયિનીના નીવાસી ભદ્રાપુત્ર અવંતિ સુકુમાલે નલીનીગુલ્મ વિમાન મેળવવાની લાલસાથી સંપ્રતિ રાજાના પ્રતિબોધક શ્રી આર્યસુહસ્તિસૂરિ પાસે દિક્ષા લીધી હતી. અને શીયાળણીના ઉપસર્ગથી મૃત્યુ પામી સૌધર્મ રાજધાનીનું તે વિમાન મેળવ્યું હતું. આ અવંતિ કુમારના મૃત્યુ સ્થાને તેના પુત્રે “અવંતિ પાર્શ્વનાથ” નો પ્રાસાદ કરાવ્યો હતો, પરંતુ ટુંક મુદત જતાં બ્રાહ્મણશાહીની અસરથી પાર્શ્વનાથના બીંબ ઉપર મહાકાલેશ્વર (સિદ્ધસેન દિવાકરના દાદાનું આ નામ હતું) ના પીંડની સ્થાપના થઇ હતી. જેથી વિક્રમાદિત્યના ગુરૂ તાર્કિક શીરોમણી સિદ્ધસેન દિવાકરે સ્વરચિત કલ્યાણમંદિરની સ્તુતિ દ્વારા શિવલીંગ તોડી તેની નીચેથી પાર્શ્વનાથની મુર્તિને પુનઃ પ્રગટ કરેલ છે, જે હાલ “અવંતિપાર્શ્વનાથ” એવા નામથી જ પ્રસિદ્ધ છે. અત્યારે પણ ઉજ્જૈનમાં મંદિરથી થોડે દૂર મોટા શીવલિંગની સ્થાપના છે, પણ ઉપરોક્ત ઘટના બન્યા પછી તેના પુજારીઓ તે શીવલીંગની પાસે જૈન મુનિઓને જવા દેતા નથી. લોધિ બારમી સદીમાં એક દીવસે મારવાડ દેશમાં ફલોધિ ગામના પાસિલ શ્રાવકે નગર બહાર શુદ્ધ ભૂમિમાં નહીં કરમાયેલ ફૂલના ઢગલાવાળું એક (૫૫) ; J N N N N NNI For Personal and Private Use Only Jain Educationa International PRIPRIN JP N N N N NNNNNNNNNNNNNNNN MAP www.jainelibrary.org
SR No.005337
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorMahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1994
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy