________________
SUSASTRUKTORISERET
મોકલજીના વખતે ઋષભદેવની પ્રાભાવિક પ્રતિમા નીકળી હતી. અને ત્યાંજ સ્થાપીત કરી હતી. આ મૂર્તિ ઉપર બહુ કેસર ચડતું હોવાથી તેનું કેસરીયાજી એવું નામ પ્રસીદ્ધ થયું છે અને સર્વ લોકોને તે તીર્થ માનનીય થઈ પડયું છે. આ મંદીરનો જીર્ણોદ્ધાર સં. ૧૪૩૧ અક્ષયત્રીજદીને તથા સંવત્ ૧૫૭રના વૈશાખ સુદી ૫ દીને થયો હતો એમ શીલાલેખોથી સમજી શકાય છે. મંદીરના મુખ્ય સિંહાસને તે ઋષભદેવ ભગવાનની અલૌકિક પ્રતિમા છે, ભમતીમાં સંવત્ ૧૭૩થી ૧૭૯૦ વર્ષ સુધીની પ્રતિમાઓ છે.જુના ભીલ લોકોના ઇકરારનામા અને શીલાલેખો અહીં દ્રષ્ટિગોચર થાય છે. આ મેવાડમાં મોટામાં મોટું તીર્થ છે તે શ્વેતાંબર સંઘને સમર્પણ કર્યાના કેટલાક પરવાના મળ્યા છે જેમાં ૧ અકબર બાદશાહનો, ૨ મહારાણા પ્રતાપસિંહનો, સં. ૧૬૩૫ના આસો વદીપ ગુરૂવારનો, ૩ મહારાણા જગતસિંહનો સં. ૧૮૦૨ ના વૈશાખ શુદિ ૬ બુધવારનો, અને ૪ મહારાણા ભીમસિંહજીનો સંવત્ ૧૮૭૬ માગશર શુદિ ૧ ને ગુરૂવારનો છે. આ પ્રમાણેના પરવાનાથી આ તીર્થ શ્વેતાંબર સંઘને સ્વાધીન કરેલ છે.
આરાસણ (કુલ
આબુની તળેટીમાં આરાસણ ગામ હતું જેને અત્યારે “કુંભારીયા” એવા નામથી ઓળખાય છે. તેમાં ગોગા મંત્રીનો પુત્ર પાસિલ વસતો હતો. તે બહુ નીર્ધન થઈ ગયો હતો જેથી એક દીવસે વ્યાપાર માટે પાટણ ગયો. ત્યાં દેવદર્શને જતાં રાજાયે કરેલ પ્રાસાદને જોવા લાગ્યો. તેના દુઃખી દેદાર દેખી હાંસી નામે બાઈ મશ્કરી કરી બોલી કે “ભાઈ તમારે શું આવા પ્રમાણનું ચૈત્ય કરાવવું છે? કે જે માટે પ્રાસાદનું સૂક્ષ્મદ્રષ્ટિથી નિરિક્ષણ કરો છો?”
આ ઉપહાસ્યના વચનથી ખેદ પામતો પાસલ ગુરૂ પાસે આવ્યો ગુરૂવે છે છે પણ તેનું ચળકતું ભાગ્ય જોઈ તેને અંબીકાનો મંત્ર આપ્યો, પાસીલે પણ વિધિપૂર્વક
તે મંત્રથી અંબિકાદેવીનું આરાધન કર્યું અને નવો જીનપ્રાસાદ કરવાની પોતાની છે ણ ઇચ્છા દર્શાવી. સંતુષ્ટ થયેલી અંબિકાએ કહ્યું કે, “તું સીસાની ખાણ ખોદાવજે તે હું
(૩૦) જીજાબાવાળાTM
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org