SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ AAPANIRANKARANAKAKAPAKANKAANAN સાથ PC C C P R R R R RRRRRRR! પણ મળી શકે છે)ના ઉપદેશથી આબુમાં જીનમંદિર કરવાની તીવ્ર જીજ્ઞાસા થવાથી વિમલ મંત્રીયે જોઇતી જગામાં સ્વર્ણ ટંકા પાથરીને ભૂમી ખરીદી લીધી અને ત્યાં સંગેમરમરનો સુંદર અર્બુદપ્રાસાદ કરાવ્યો. આ પ્રાસાદ તૈયાર કરવામાં ખર્ચાયેલ દ્રવ્ય મંત્રીને તે સ્થાનેથી ભુમિમાંથી જ મળ્યું હતું. વિમળમંત્રીએ વિક્રમ સંવત ૧૦૮૮માં ધર્મઘોષ સૂરિના હાથે અર્બુદપ્રાસાદમાં અઢાર ભાર પ્રમાણ પીત્તળથી બનાવેલ આદિનાથ પ્રભુના બીંબની પ્રતિષ્ઠા કરાવી હતી તેણે બહુ ખર્ચ કરી આ પ્રાસાદને જ અપૂર્વ શોભાવાળો બનાવેલ છે. મંદિરના મુખ્ય દરવાજા સામે હાથાખાનું છે. જેમાં મધ્ય ત્રિકોણાકૃતિ સ્તંભમાં કોતરેલ જીનમૂર્તિ છે દશ હાથી છે અને ઘોડા ઉપર બેસાડેલ વિમળ મંત્રિનું બાવળું છે. વિમળશાહે પ્રાસાદની બનાવટમાં માત્ર આ એક જ ભુલ કરી છે કે તેણે પ્રભુની સામે પોતાનું પુતળું ઉભું ન રાખતાં ઘોડા ઉપર બેસાડેલ છે, રંગમંડપના ઘુમટમાં સોલ અપ્સરાની પુતળીઓ માર્મિકતાથી ખોદેલ છે.મંડપમાં કમાન અને ધુમ્મટની રચનામાં જુદી પદ્ધતિનો સ્વિકાર કરી અચકોન, વર્તુલ ૧. આ મંદિરના માટે એવું બન્યું છે કેઃ વિમળમંત્રિને અહીં મંદિર કરવાની ઇચ્છા થતાં તે આબુ ઉપર ભુમિની શોધ કરવા આવ્યો અને મંદિરની શરૂઆત કરી પણ ત્યાંના શૈવવર્ગે આ સંબધમાં વાંધો ઉઠાવ્યો અને ચંદ્રાવતીના નરેશ પાસે આ મંદિર નહી થવા દેવા વીનંતી કરી. ચંદ્રાવતી પાંતએ વિમળને બોલાવીને કહ્યું કે નરપુંગવ! આ તમે શું કરો છો? શૈવતીર્થમાં જૈનતીર્થની સ્થાપના થાય તે સલામતી ભરેલું નથી વિમલમંત્રિએ જણાવ્યું કે આ સ્થાનમાં જૈનમંદિર હતું પણ બ્રાહ્મણશાહીમાં તેનો નાશ થયેલ છે આથી ચંદ્રાવતીપતિએ તેબીનાને પુ૨વા૨ ક૨વા સાત દિવસની મહેતલ આપી. તે દરમ્યાન વિમળમંત્રિએ પણ ચક્રેશ્વરી દેવીની આરાધના કરી,જેથી દેવીએ સ્વપ્રમાં કહ્યું કે‘‘બાળકુમારીકાને કુલદડો આપી બધે ફેરવવી તેનો દડો હાથમાંથી છટકી જે સ્થાને પડે તે સ્થાનમાં ખોદવાથી પ્રાચિન જીનમૂર્તિ મળી આવશે'' આ પ્રમાણેનું સ્વપ્ર દેખી તે સાતમે દિવસે રાજસભામાં ગયો-અને દેવીના વચન પ્રમાણે એક બ્રાહ્મણ કન્યાને ફુલગુચ્છો આપી બધે ફેરવી. મુખ્ય શૈવમંદિરના દ્વાર પાસે જતાં તે દડો હાથમાંથી છટકી પડયો. જેથી ચંદ્રાવતીપતિએ ત્યાં ખોદાવ્યું, તો જીનમૂર્તિ મળી અને તે તીર્થ જૈનોનું છે એમ સાબીત થયું. તેનાથી ચંદ્રાવતીપતિએ વિમળમંત્રિને અહીં જીનભુવન કરવાને રજા આપી. આ તરફથી શૈવવર્ગે વિમળમંત્રિને જણાવ્યું કે તમારૂં મંદિર થતાં અમારી આજીવિકોને ધક્કો પહોંચશે તેથી વિમળમંત્રિએ ત્યાંના બોટિકોને જમીન પ્રમાણ દ્રવ્ય પાથરી તે દ્રવ્ય આપ્યું અને તે સ્થાને અર્બુદાચલ પ્રાસાદની રચના કરી કાળાંતરે આ શૈવવર્ગ નીર્ધન થતાં ત્યાંથી રવાના થઇ સિદ્ધપુર પાટણ આવી વધ્યો હતો. (૨૩) ANNNNNN N N N N N NNNNNNNNN Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005337
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorMahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1994
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy