SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ SSSSSSSSSSSSSSSSS આ ઉદ્ધાર પછી છ વર્ષે (સં ૧૫૯૩-) અસુરોપદ્રવ થવાથી શ્વેતાંબર જ છે જૈનસંઘે જૈનાખ્ખાય પ્રમાણે દુધ ધારાથી પર્વતને સ્નાન કરાવ્યું હતું. મૂળમંદિરની દ્વાર પાસેની ભીંતમા ચોડેલ અને શ્રી કમલવિજય વિબુધ શિષ્ય હેમવિજયજી (મહાકાવ્યકાર) એ લખેલ શિલાલેખથી જણાય છે કેકરમાશાહનું મંદિર જીર્ણ થતું જોઈ તેનો જગદ્ગુરૂ શ્રીવિજય હીરસૂરીશ્વરના ઉપદેશથી સોની તેજપાળે સંવત્ ૧૬૫૦માં જીર્ણોદ્ધાર કર્યો છે અને ત્યારથી આ મંદિરનું “નંદિવર્ધન વિહાર” એવું નામ પ્રસિદ્ધિ પામ્યું છે. સંવત ૧૮૨૦ માં સંઘવી તારાચંદ દેવચંદ સુરતી વિગેરે તરફથી મુળનાયકના બીબને સ્થાને નવું જીન બિંબ સ્થાપવાને કેટલાક પ્રયત્નો આરંભાયા હતા પરંતુતેમાં નિષ્કલતા પ્રાપ્ત થવાથી નવા આણેલ બિંબને “નવાઆદીશ્વર” તરીકે પાસેના વસ્તુપાળના મંદિરમાં સ્થાપેલ છે. શત્રુંજય પર્વત ઉપર સર્વમાનનીય વસ્તુ આદીશ્વર ભગવાનની મૂર્તિ છે તેથી તેના અને આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરના સબંધમાં જે જે ફેરફારો થયા જે છે તે સંબંધે સંક્ષેપ બીના માત્ર ઉપર જણાવેલ છે. આ દરેક જીર્ણોધ્ધારમાં આદિશ્વર ભગવાનનું મુળબીબ પુંડરિકબિંબ અને રાયણ પગલા (આદીશ્વર પ્રભુના પગલા) અને યક્ષ પક્ષીણીની મૂર્તિઓ તદન નવાં સ્થપાય છે અને મંદીર તો નવું બંધાય છે અથવા પ્રાચીન મંદિર મજબુત હોય તો માત્ર તેનું સમારકામ કરવામાં આવે છે. અત્યારે દ્રષ્ટિપથમાં આવતું મંદિર ચક્રવર્તિ કુમારપાળના સમયનું છે કેટલાએક કહે છે કે તેથી પણ વધારે પ્રાચીન છે પણ તે કુમારપાળના વખતનું હોય એમ બનવું વધારે સંભવિત છે અને ત્યારપછીના જીર્ણોધ્ધારમાં સમારકામ કરવાની જરૂર જોવાયેલ છે ગુર્જરેશ કુમારપાલે પણ મુલમંદિરની પાસે એક સુંદર દેવાલય ૨. ગુર્જર મહારાજા કુમારપાળે હીંગળાજના હડા નીચે એક કુંડ બંધાવેલ છે જેનું નામ કુમારકુંડ-(કુંભારકુંડ) છે શત્રુંજયના ચડાવના ૧ ઈચ્છાકુંડ (સં. ૧૮૬૧) ૨ કુમારકુંડ (બારમી સદી) ૩ છાલાકુંડ (સં. ”િ ૧૮૭૭) ૪ હીરાકુંડ (સં. ૧૬૮૩) અને ૫ ભુખણકુંડ (ભુખણવાવ-રાણાવાવ સાથે સં. ૧૮૮) એ પાંચ કુંડ પૈકીમાં કુમારકંડ પ્રાચીન છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005337
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorMahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1994
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy